March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્‍વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોને નશીલી દવાઓ અને માદક પદાર્થોના દુરૂપયોગની રોકથામ અને ગેરકાયદે તસ્‍કરી ઉપર રોક લગાવવા માટે કરેલા સરાહનીય પ્રયાસોનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.02 : રાષ્‍ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરના વર્ષોમાં શરૂ કરાયેલ ‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દેશના 372 જિલ્લામાંથી શ્રેષ્‍ઠ 30 જિલ્લામાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરવામાં દાદરા નગર હવેલી જિલ્લાનો પણ સમાવેશ થયો છે અને કેન્‍દ્રના ગૃહરાજ્‍ય મંત્રી શ્રી નિત્‍યાનંદ રાય દ્વારા દાદરા નગર હવેલી જિલ્લાને પુરસ્‍કૃત પણ કરાયા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્‍વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોને નશીલી દવાઓ અને માદક પદાર્થોના દુરૂપયોગની રોકથામ અને ગેરકાયદે તસ્‍કરી ઉપર રોક લગાવવા માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલી જિલ્લામાં જિલ્લા સ્‍તર ઉપર બનાવવામાં આવેલ સંયુક્‍ત કાર્યયોજનાનું ઉત્‍કૃષ્‍ટ પરિણામ મળ્‍યું છે. જેમાં જિલ્લાને નશામુક્‍ત ભારત યોજનાનું કાર્યાન્‍વયન કરવામાં આવ્‍યું હતું અને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્‍યા હતા. તદ્‌ઉપરાંત વિવિધ હીતધારકોને તાલીમ પ્રદાન કરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.
રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે દાદરા નગર હવેલી જિલ્લાને સંયુક્‍ત કાર્યયોજનાના સફળ કાર્યાન્‍વયન માટે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન જિલ્લાના રૂપમાં કેન્‍દ્રિય ગૃહરાજ્‍ય મંત્રી શ્રીનિત્‍યાનંદ રાયના હસ્‍તે સ્‍મૃતિ ચિહ્ન અને પ્રશસ્‍તિ પત્ર આપી સન્‍માનિત કરાયું હતું. દાદરા નગર હવેલી જિલ્લાને ઉત્‍કૃષ્‍ટ પ્રયાસો માટે દેશના કુલ 372 જિલ્લામાંથી શ્રેષ્‍ઠ 30 જિલ્લામાં આ બહુમાન મળ્‍યું છે.

Related posts

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

vartmanpravah

Leave a Comment