Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

ભાગલધરાના કેટલાક વિસ્‍તારના ઘરોમાં પાણી ભરાઈ
જતા જનજીવન ઠપ્પ થઈ ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર વરસાદે આડઅસરો સર્જવી શરૂ કરી દીધી છે. વલસાડ પાસેથી વહેતી ખરેરા નદીમાં બાંધવામાં આવેલ બે લો લેવલ પુલ નદીના પાણીમાંગરકાવ થતા સ્‍થાનિક લોકોની અવરજવર અટકી પડી છે.
વલસાડ નજીક વહેતી ખરેરા નદીમાં બંધાયેલ બે લો લેવલના પુલ પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે સ્‍થાનિકોને અવર જવર કરવા માટે 15 થી 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે. આ લો લેવલના પુલ થકી ગ્રામ્‍ય વિસ્‍તારનો રોડ જોડાયેલો છે. આ રોડ નવસારી ટુંકા અંતરે પહોંચાડે છે. નદીના પુલ ડૂબી જતા નવસારી અવર જવર કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત શિક્ષકો વિગેરેને નવસારી પહોંચવા હવે 15 થી 20 કિલોમીટરનો લાંબો ચક્કર મારવાની નોબત આવી છે. હાઈવે ઉપર આવેલ વાઘલધરા ગામના નીચાણવાળા વિસ્‍તારના 20 ઉપરાંત ઘરોમાં વરસાદી હેલીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. રસોઈ-પિવાના પાણીની પારાવાર મુશ્‍કેલી વેઠી રહ્યા છે. હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત જ છે. તેમ છતાં ગ્રામજનોમાં કુદરતી આફત અનરાધાર વેઠી રહ્યા છે.

Related posts

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

ચીખલીના દેગામમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા યોજાઈઃ અનેક પ્રશ્નોની રજૂઆત કરાઈ

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment