March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

ભાગલધરાના કેટલાક વિસ્‍તારના ઘરોમાં પાણી ભરાઈ
જતા જનજીવન ઠપ્પ થઈ ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર વરસાદે આડઅસરો સર્જવી શરૂ કરી દીધી છે. વલસાડ પાસેથી વહેતી ખરેરા નદીમાં બાંધવામાં આવેલ બે લો લેવલ પુલ નદીના પાણીમાંગરકાવ થતા સ્‍થાનિક લોકોની અવરજવર અટકી પડી છે.
વલસાડ નજીક વહેતી ખરેરા નદીમાં બંધાયેલ બે લો લેવલના પુલ પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે સ્‍થાનિકોને અવર જવર કરવા માટે 15 થી 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે. આ લો લેવલના પુલ થકી ગ્રામ્‍ય વિસ્‍તારનો રોડ જોડાયેલો છે. આ રોડ નવસારી ટુંકા અંતરે પહોંચાડે છે. નદીના પુલ ડૂબી જતા નવસારી અવર જવર કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત શિક્ષકો વિગેરેને નવસારી પહોંચવા હવે 15 થી 20 કિલોમીટરનો લાંબો ચક્કર મારવાની નોબત આવી છે. હાઈવે ઉપર આવેલ વાઘલધરા ગામના નીચાણવાળા વિસ્‍તારના 20 ઉપરાંત ઘરોમાં વરસાદી હેલીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. રસોઈ-પિવાના પાણીની પારાવાર મુશ્‍કેલી વેઠી રહ્યા છે. હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત જ છે. તેમ છતાં ગ્રામજનોમાં કુદરતી આફત અનરાધાર વેઠી રહ્યા છે.

Related posts

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

vartmanpravah

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment