ભાગલધરાના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ
જતા જનજીવન ઠપ્પ થઈ ગયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર વરસાદે આડઅસરો સર્જવી શરૂ કરી દીધી છે. વલસાડ પાસેથી વહેતી ખરેરા નદીમાં બાંધવામાં આવેલ બે લો લેવલ પુલ નદીના પાણીમાંગરકાવ થતા સ્થાનિક લોકોની અવરજવર અટકી પડી છે.
વલસાડ નજીક વહેતી ખરેરા નદીમાં બંધાયેલ બે લો લેવલના પુલ પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે સ્થાનિકોને અવર જવર કરવા માટે 15 થી 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે. આ લો લેવલના પુલ થકી ગ્રામ્ય વિસ્તારનો રોડ જોડાયેલો છે. આ રોડ નવસારી ટુંકા અંતરે પહોંચાડે છે. નદીના પુલ ડૂબી જતા નવસારી અવર જવર કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત શિક્ષકો વિગેરેને નવસારી પહોંચવા હવે 15 થી 20 કિલોમીટરનો લાંબો ચક્કર મારવાની નોબત આવી છે. હાઈવે ઉપર આવેલ વાઘલધરા ગામના નીચાણવાળા વિસ્તારના 20 ઉપરાંત ઘરોમાં વરસાદી હેલીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. રસોઈ-પિવાના પાણીની પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત જ છે. તેમ છતાં ગ્રામજનોમાં કુદરતી આફત અનરાધાર વેઠી રહ્યા છે.