Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

ડોકમરડીનો જૂનો પુલ અવર-જવર માટે જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. જેના કારણે અંતરિયાળ વિસ્‍તારના ડૂંગરાળ પ્રદેશમાં ઝરણાં ફૂટી નીકળતા નદી-નાળા પણ છલકાયા હતા. સેલવાસ શહેર સહિત કેટલાક નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ડોકમરડી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા નીચેનો પુલ દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા અગમચેતીના પગલાં રૂપે પુલના બંને છેડે બેરેક મુકી બંધ કરી દેવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે આજ નીચેના પુલ ઉપરથી એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં બે વ્‍યક્‍તિ(પિતા-પુત્ર)ના મોત થયા હતા. જેથી ફરી એવી અનિચ્‍છનીય ઘટના નહીં બને તે માટે આ વર્ષે ડોકમરડીનો જુનો પુલ બંધ કરી દેવામાં આવ્‍યો છે. શુક્રવારની મધ્‍યરાત્રિથી મોડી સાંજ સુધી ભારે વરસાદ વરસ્‍યો હતો જેમાં સેલવાસમાં 114.6 એમએમ ચાર ઇંચથી વધુ અને ખાનવેલમાં 25.6 એમએમ 1.01 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 447.6 એમએમ 17.62 ઇંચ અને ખાનવેલમાં 508.2 એમએમ20.01 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 68.15 મીટર છે જ્‍યારે ડેમમાં પાણીની આવક 3691 ક્‍યુસેક અને પાણીની જાવક 353 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment