July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: સમરોલી સ્‍થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ચીખલી નગરના ધોબીવાડ, બજાર સ્‍ટ્રીટ, વાણિયાવાડ, બગલાદેવ મંદિર, એસ.ટી.ડેપો સર્કલ થઈ સમરોલી સ્‍થિત મંદિર ખાતે પહોંચી હતી. રથયાત્રા દરમ્‍યાન ભાવિકભક્‍તો દ્વારા ભગવાન જગન્નાથના સૌએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નગરમાં નીકળતા ચીખલી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાણિયાવાડ સ્‍થિત રામજી મંદિર ખાતે રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રથયાત્રા નગરમાં નીકળતા સમગ્ર વિસ્‍તારમાં ભક્‍તિમય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્‌વો લીધો હતો. સાથે રથયાત્રામાં ભજન અને ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. દરમ્‍યાન ચીખલી ઈન્‍ચાર્જ પીઆઈ શ્રી રાજપૂત, પીએસઆઈ શ્રી એસ.જે.કડીવાલા, શ્રીએચ.એસ.પટેલ તેમજ ચીખલી પોલીસના શ્રી અલ્‍પેશભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી ગણપતભાઈ સહિત ચીખલી પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

વાપી આદર્શ સ્‍ટેશન જાહેર ખૂટતી અસુવિધા પુરી કરવા રેલવે અને જન પ્રતિનિધિઓનું મનોમંથન: રેલવે કે.પી.એ.સી. સભ્‍ય, ઝોનલ સભ્‍ય, રેલવે અધિકારીઓ અને સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

Leave a Comment