April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: સમરોલી સ્‍થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ચીખલી નગરના ધોબીવાડ, બજાર સ્‍ટ્રીટ, વાણિયાવાડ, બગલાદેવ મંદિર, એસ.ટી.ડેપો સર્કલ થઈ સમરોલી સ્‍થિત મંદિર ખાતે પહોંચી હતી. રથયાત્રા દરમ્‍યાન ભાવિકભક્‍તો દ્વારા ભગવાન જગન્નાથના સૌએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નગરમાં નીકળતા ચીખલી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાણિયાવાડ સ્‍થિત રામજી મંદિર ખાતે રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રથયાત્રા નગરમાં નીકળતા સમગ્ર વિસ્‍તારમાં ભક્‍તિમય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્‌વો લીધો હતો. સાથે રથયાત્રામાં ભજન અને ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. દરમ્‍યાન ચીખલી ઈન્‍ચાર્જ પીઆઈ શ્રી રાજપૂત, પીએસઆઈ શ્રી એસ.જે.કડીવાલા, શ્રીએચ.એસ.પટેલ તેમજ ચીખલી પોલીસના શ્રી અલ્‍પેશભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી ગણપતભાઈ સહિત ચીખલી પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ

vartmanpravah

વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

Leave a Comment