July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

ગુરુ ભગવંતોનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું :
માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટમાં પ્રવચન સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસનો ભવ્‍ય પ્રવેશોત્‍સવની ઉજવણી કરાઈ, ગુરુભગવંતોનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું હતું.
પૂજ્‍યપાદ ગચ્‍છાધિમતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્‍દ્ર સુરીસ્‍વરજી મહારાજાના સમુદાયવર્તી વાપી નગરના કોહિનુર રત્‍ન પ્રથમ યયોનિધિ શાસક પ્રભાવક ગચ્‍છાધિપતિ પૂ.આચાર્યદેવ શ્રીમદ્દ વિજય હેમભૂષણ સુરીશ્વરજી મહારાજાની પાવન સ્‍મૃતિમાં ચાતુર્માસ મંગલ પ્રવેશની વાપીમાં ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટક કોહીનુર પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજય ચન્‍દ્રભુષણ સુરીશ્વરજી મહારાજશ્રી, દિવ્‍ય ભૂષણ વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંત શ્રી જિનાગ્ન આરાધક જૈન સંઘમાં રવિવારે વિશાળ સાધુ અને સાધ્‍વીગણ સાથે પધાર્યા હતા. ઝંડાચોકથી પ્રારંભ થઈ સામૈયું શ્રી અજીતનાથ જીનાલય થઈને માનવ કલ્‍યાણટ્રસ્‍ટમાં પ્રવચન સભામાં ફેરવાયેલ શ્રી શાંતિનાથ પરમાત્‍માની ચલ પ્રતિષ્‍ઠા કરાઈ હતી. પરમાત્‍માને નગર પ્રવેશ કરાવવાનો લાભ શ્રી હર્ષદ કુમાર સેવંતીલાલ નાહર પરિવારે લીધો હતો.

Related posts

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા પખવાડીયા ઉજવણીનો સાનદાર પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment