Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

ભાજપમાં પદ પ્રતિષ્‍ઠા અને મોભો ગૌણ પરંતુ સૌથી પહેલાં જવાબદારીઃ પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલનું આજે દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ખુબ જ ઉમળકાભેર શાનદાર અભિવાદન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલને ઢોલ-નગારાના નાદ અને આતશબાજીની રમઝટ સાથે આન બાન અને શાનથી વધાવવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલે કાર્યકરોને સંબોધતા ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભાજપમાં પદ પ્રતિષ્‍ઠા કે મોભો ગૌણ છે, પરંતુ સૌથી પહેલાં જવાબદારી આવે છે. તેમણે દરેકને સાથે લઈ દરેકને જોડી કામ કરવા પોતાની તત્‍પરતા દર્શાવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી અને પ્રદેશના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, પ્રદેશ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રીઅસ્‍પીભાઈ દમણિયા, લોકસભા ચૂંટણીના કન્‍વીનર શ્રી નવિનભાઈ પટેલ, દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી બી.એમ.માછી, વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત ભાજપના કાર્યકરો ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્‍ચે તલાવચોરામાં દીપડી બચ્‍ચા સાથે નજરે ચઢતા લોકોમાં ફફડાટઃ પાંજરાની અછત સર્જાઈ

vartmanpravah

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય જગદ્‌ગુરુ નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment