July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

મદનવાડ શિવ એપાર્ટમેન્‍ટમાં સોમવારે રાતે ઘટેલી ઘટના : કોઈ જાનહાની નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડમાં એક પછી એક જર્જરીત મકાનો છેલ્લા કેટલાક દિવસથી ચોમાસામાં તૂટી પડી રહ્યા છે. તેવો વધુ એક બનાવ સોમવારે રાત્રે બન્‍યો હતો. વલસાડના મદનવાડ વિસ્‍તારમાં આવેલ શિવ એપાર્ટમેન્‍ટની જર્જરીત બાલ્‍કની તૂટી પડતા વિસ્‍તારમાં દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં અનેક જર્જરીત એપાર્ટમેન્‍ટ અને મકાનો છે. તેથી વારંવાર તેવા જર્જરીત મકાનો તૂટી પડવાની ઘટના છેલ્લા કેટલાક સમયથી બનીરહી છે. વલસાડના મદનવાડ વિસ્‍તારમાં આવેલ 20 થી 25 વર્ષ જુના શિવ એપાર્ટમેન્‍ટની ફસ્‍ટ ફલોરની બાલ્‍કની ગત રાત્રે તૂટી પડી હતી. જેમાં નીચે આવેલ દુકાનના પતરા તૂટી ફૂટી ગયા હતા તેમજ એપાર્ટમેન્‍ટ નીચે પાર્ક કરેલ વાહનો પૈકી બે-ત્રણ બાઈક ઉપર કાટમાળ પડતા બાઈકો નુકશાનગ્રસ્‍ત થઈ હતી. ઘટના સમયે રાત હોવાથી મોટી દુર્ઘટના કે જાનહાની ટળી હતી. નગરપાલિકા દ્વારા સર્વે કરાવી જુની જર્જરીત ઈમારતો હજુ ફરી આગળ તૂટી ના પડે તે માટે નોટિસ કે જરૂરી પગલા લેવાનો સમય પાકી ગયો છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં સુરત સચીનમાં એક આખી ઈમારત ધરાશાયી થઈ હતી. તેમાં અનેક નિર્દોષોનું મોત થયું હતું તેવી ઘટનાનું પુનરાવર્તન વલસાડમાં ના થાય તે માટે સતર્કતા અને સાવચેત રાખવાનો સમય પાકી ગયો છે.

Related posts

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

દમણનો ઝાંપાબાર વિસ્‍તાર આવતા દિવસોમાં રોટરી સ્‍ક્‍વેર કે રોટરી જંક્‍શન તરીકે પણ ઓળખાઈ શકે છેઃ અપૂર્વ પાઠક-અધ્‍યક્ષ દમણ રોટરી ક્‍લબ

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

Leave a Comment