August 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

ટેકનિકલ સર્વે કરાયા બાદ સકારાત્‍મક નિકાલ કરવા અંગેની ખાતરી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા આજરોજ સંસદ ભવનમાં દરિયા કિનારાના ગામોને સૌથી વધુ સ્‍પર્શતા વલસાડ જિલ્લાના ગામોમાં દરિયાઈ પાણીના ધોવાણથી ગામ લોકોને થતુ નુકસાનના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્‍શન વોલ બનાવવાની કામગીરી અંગે અત્‍યંત જરૂરી પ્રશ્નો રજૂ કર્યા હતા.
લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા આજે સંસદ સત્ર દરમ્‍યાન વલસાડ જિલ્લાના ગામોમાં દરિયાઈ ધોવાણના કારણે ગામોમાં થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્‍શન વોલ બનાવવા અંગે વિગતવાર રજુઆત કરી હતી. જેમાં (1) વલસાડ તાલુકાના મોટી દાંતી, નાની દાંતી (2) કકવાડી ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (3) ભાગલ ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (4) ભદેલી જગાલાલા પ્રોટેક્‍શન વોલ (5) કોસંબા ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (6)સુરવાડા ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (7) મગોદ ડુંગરી ગામ ખાતે પ્રોટેક્‍શન વોલ (8) પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે જરૂરી પ્રોટેક્‍શન વોલ બનાવવા, (10) ઉમરગામ શહેર (11) દહેરી પ્રોટેક્‍શન વોલ (12) નારગોલ બંદર વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ (13) માંગેલવાડ બીચ પ્રોટેક્‍શન વોલ (14) માલવણ બીચ 1 કિલોમીટર મીટર પ્રોટેક્‍શન વોલ (15) સરોન્‍ડા નારગોલ બોર્ડર થી તડગામ બોર્ડર સુધી પ્રોટેક્‍શન વોલ (16) કલગામ સોરઠવાડ વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ (17) બારીયાડ વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ (18) મરોલી દાંડી પ્રોટેક્‍શન વોલ (19) ફણસા માંગેલવાડથી કલગામ બોર્ડર પ્રોટેક્‍શન વોલ (20) માછીવાડથી ટાટાવાડી પ્રોટેક્‍શન વોલ (21) કાલાઈ માયાવંશી સમાજ સ્‍મશાન વિસ્‍તાર પ્રોટેક્‍શન વોલ બનાવવા અંગેની અત્‍યંત જરૂરી રજૂઆતો કરી હતી, જે અંગે વિભાગ દ્વારા જરૂરી ટેકનીકલ સર્વે કરાયા બાદ સકારાત્‍મક નિકાલ કરવા અંગેની ખાતરી આપવામાં આવી હતી.

Related posts

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

vartmanpravah

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment