October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદીવદેશ

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.06 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્‍યકાળ દરમિયાન પાકિસ્‍તાની જેલમાં કેદ દમણ-દીવ સહિત સમગ્ર ભારતના માછીમારોને છોડાવવા બુલંદ રજૂઆત કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દરિયા કાંઠામાં વસેલો પ્રદેશ છે. જ્‍યાં માછીમારી એ લોકો માટે રોજગારનું મહત્ત્વનું સાધન છે. મોટાભાગના માછીમારો અશિક્ષિત અને તેમને દરિયાઈ સીમાઓનું જ્ઞાન હોતું નથી. જેના કારણે દરિયામાં માછીમારી કરતા સમયે તેઓ અકસ્‍માતે પડોશી દેશ પાકિસ્‍તાનની સરહદમાં પહોંચી જાય છે અને પાકિસ્‍તાનના સત્તાવાળાઓ પાકિસ્‍તાનની જેલમાં સબડતા માછીમારો જોડે અમાનવીય અને નિર્દયી વર્તાવ કરતા હોવાની માહિતી પણ લોકસભાને આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાનની જેલમાં માછીમારોની હાલત ખુબ જ ખરાબછે અને તેમાંના ઘણાં વૃદ્ધ અને બિમાર માછીમારો છે. તેમને અનેક યાતનાઓ અને પીડાઓ ભોગવવા પડી રહી હોવાની વેદના પાકિસ્‍તાની જેલમાં બંધ માછીમારોએ તેમના ઘરે લખેલા પત્રમાં વ્‍યક્‍ત કરી છે. તેથી દમણ-દીવ સહિત સમગ્ર દેશના માછીમારોને મુક્‍ત કરાવવા તેમણે માંગણી કરી હતી.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

vartmanpravah

ચીખલી તથા આસપાસના ગામોમાં સ્‍વચ્‍છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ કચરો ફેંકી ગંદકી ફેલાવતા 19 જેટલા સ્‍થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્‍યો

vartmanpravah

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

Leave a Comment