Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આવતી કાલે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના શ્રી બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.
સવારે 9:00 વાગ્‍યે દમણ-દીવના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના સુપ્રસિદ્ધ બાસુકીનાથ મંદિરના આશીર્વાદ લઈ વિધિવત્‌ પોતાના પ્રચારના શ્રીગણેશ કરવાના હોવાની જાણકારી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સ્‍વયં ભોળાનાથ ભગવાન શિવશંકરના ભક્‍ત છે અને ભગવાન ભોળાનાથનીકૃપા પણ તેમની સાથે રહી છે અને 2009થી અત્‍યાર સુધી સમગ્ર દલવાડા ગામ તથા મરવડ પંચાયત શ્રી લાલુભાઈ પટેલની પડખે રહી છે ત્‍યારે આવતી કાલે ભાજપના આગેવાન કાર્યકરો સાથે બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

Related posts

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

vartmanpravah

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

Leave a Comment