December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આવતી કાલે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના શ્રી બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.
સવારે 9:00 વાગ્‍યે દમણ-દીવના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના સુપ્રસિદ્ધ બાસુકીનાથ મંદિરના આશીર્વાદ લઈ વિધિવત્‌ પોતાના પ્રચારના શ્રીગણેશ કરવાના હોવાની જાણકારી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સ્‍વયં ભોળાનાથ ભગવાન શિવશંકરના ભક્‍ત છે અને ભગવાન ભોળાનાથનીકૃપા પણ તેમની સાથે રહી છે અને 2009થી અત્‍યાર સુધી સમગ્ર દલવાડા ગામ તથા મરવડ પંચાયત શ્રી લાલુભાઈ પટેલની પડખે રહી છે ત્‍યારે આવતી કાલે ભાજપના આગેવાન કાર્યકરો સાથે બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

Related posts

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment