June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.08 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી કરાવશે. આવતી કાલે સવારે 10:30 કલાકે આયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાન 15મી ઓગસ્‍ટ સુધી નિરંતર ચાલુ રહેશે.
આવતી કાલે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમના પરિસરમાં મર્ચન્‍ડાઈઝ સ્‍ટોલમાં તિરંગાથી જોડાયેલા વિવિધ ઉત્‍પાદનો જેવા કે ઝંડા, બેઈઝ અને અન્‍ય સ્‍મૃતિચિહ્ન ઉપલબ્‍ધ કરાશે. જેને ખરીદીને લોકો આ અભિયાનનો હિસ્‍સો બની શકે છે.
સિલવન દીદી/એસએચજી સ્‍ટોલ્‍સમાં સ્‍વયં સહાયતા સમૂહ અને સ્‍થાનિય કારીગરો દ્વારા સંચાલિત હાથ બનાવટના ઉત્‍પાદનો, પારંપારિક વષા અને હસ્‍તશિલ્‍પ પ્રદર્શિત કરાશે જે સ્‍થાનિક અર્થ વ્‍યવસ્‍થાને ઉજાગર કરશે.
અહીં કિડ્‍ઝ ઝોન/ઝુલાઓ બાળકો માટે વિશેષ રૂપથી તૈયાર કરાયા છે અને ખેલ ઝુલો અને મનોરંજક ગતિવિધિઓથી ભરપુર હોવાથી બાળકો પણ આ ઉત્‍સવનો આનંદ લઈ શકશે.
તિરંગો કેનવાસ એક મોટા કેનવાસ ઉપર લોકો ભારતીય ભાષામાં ‘હર ઘર તિરંગા’ અને ‘જય હિન્‍દ’ લખી શકે છે. આ સહભાગિતા ફક્‍ત રાષ્‍ટ્રપ્રેમ જ નથી દર્શાવતી પરંતુ ભારતીય ભાષાઓની સમૃદ્ધિને પણ ઉજાગર કરે છે.
સેલ્‍ફી બૂથઃ વિશેષ રૂપથી ડિઝાઈન કરાયેલા સેલ્‍ફી બૂથ ઉપર લોકો તિરંગાની સાથેપોતાની તસવીરો ખેંચી શકે છે અને તેને સોશિયલ મીડિયા ઉપર પ્રદર્શિત કરી શકે છે. જેનાથી આ અભિયાનની પહોંચ ઘણી વ્‍યાપક થતી હોય છે. આમ, તા.9થી 15મી ઓગસ્‍ટ સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન એક રાષ્‍ટ્ર ભક્‍તિ અને દેશદાઝનું પ્રતિક બની રહેશે.

Related posts

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

Leave a Comment