April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.08 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી કરાવશે. આવતી કાલે સવારે 10:30 કલાકે આયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાન 15મી ઓગસ્‍ટ સુધી નિરંતર ચાલુ રહેશે.
આવતી કાલે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમના પરિસરમાં મર્ચન્‍ડાઈઝ સ્‍ટોલમાં તિરંગાથી જોડાયેલા વિવિધ ઉત્‍પાદનો જેવા કે ઝંડા, બેઈઝ અને અન્‍ય સ્‍મૃતિચિહ્ન ઉપલબ્‍ધ કરાશે. જેને ખરીદીને લોકો આ અભિયાનનો હિસ્‍સો બની શકે છે.
સિલવન દીદી/એસએચજી સ્‍ટોલ્‍સમાં સ્‍વયં સહાયતા સમૂહ અને સ્‍થાનિય કારીગરો દ્વારા સંચાલિત હાથ બનાવટના ઉત્‍પાદનો, પારંપારિક વષા અને હસ્‍તશિલ્‍પ પ્રદર્શિત કરાશે જે સ્‍થાનિક અર્થ વ્‍યવસ્‍થાને ઉજાગર કરશે.
અહીં કિડ્‍ઝ ઝોન/ઝુલાઓ બાળકો માટે વિશેષ રૂપથી તૈયાર કરાયા છે અને ખેલ ઝુલો અને મનોરંજક ગતિવિધિઓથી ભરપુર હોવાથી બાળકો પણ આ ઉત્‍સવનો આનંદ લઈ શકશે.
તિરંગો કેનવાસ એક મોટા કેનવાસ ઉપર લોકો ભારતીય ભાષામાં ‘હર ઘર તિરંગા’ અને ‘જય હિન્‍દ’ લખી શકે છે. આ સહભાગિતા ફક્‍ત રાષ્‍ટ્રપ્રેમ જ નથી દર્શાવતી પરંતુ ભારતીય ભાષાઓની સમૃદ્ધિને પણ ઉજાગર કરે છે.
સેલ્‍ફી બૂથઃ વિશેષ રૂપથી ડિઝાઈન કરાયેલા સેલ્‍ફી બૂથ ઉપર લોકો તિરંગાની સાથેપોતાની તસવીરો ખેંચી શકે છે અને તેને સોશિયલ મીડિયા ઉપર પ્રદર્શિત કરી શકે છે. જેનાથી આ અભિયાનની પહોંચ ઘણી વ્‍યાપક થતી હોય છે. આમ, તા.9થી 15મી ઓગસ્‍ટ સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન એક રાષ્‍ટ્ર ભક્‍તિ અને દેશદાઝનું પ્રતિક બની રહેશે.

Related posts

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

વાપી પાસે આવેલ અંબાચ ગામે ખાનગી જમીન પચાવનાર સરોધીના 4 સહિત અધિકારી સામે ફરિયાદ:  મૂળ જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદ બાદ થયેલ કાર્યવાહી

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

Leave a Comment