(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા લાયન સફારી પાર્ક ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે ડી.સી.એફ. શ્રી વર્ગિસ થોમસની અધ્યક્ષતામાં ‘લાયન કન્ઝર્વેશનની કેમ જરૂર છે? અને એમાં લાયન સફારીની ભૂમિકા’ અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંગલના રાજા સિંહોનું મહત્વ અને પૃથ્વીના સંરક્ષણમાંએમની ભૂમિકા અંગે કર્મચારીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.