Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલીના તલાવચોરા ગામે રવિવારે કોંગ્રેસની ન્‍યાય યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં બીલીમોરા ઓવરબ્રિજ ઉપર તોફાની તત્‍વોના હુમલાને કારણે કૂદી પડતા મોતને ભેટેલા ચીખલીતાલુકાના તલાવચોરા મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
ચીખલીના તલાવચોરા ગામે કોંગ્રેસી ધારાસભ્‍ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલની અધ્‍યક્ષતામાં રવિવારએ બેઠક મળી હતી. જેમાં તલાવચોરા ગામના આદિવાસી સમાજના મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી અપાઈ હતી. અગાઉ પણ આદિવાસી સમાજએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે મળી બીલીમોરા પોલીસ મથકે દેખાવ કરતા આરોપીઓ સામે 304 અને 307 જેવી કલમો ઉમેરવા પડી હતી. તે સાથે પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમ છતાં પરિવારને પૂરતો ન્‍યાય મળ્‍યો નથી. જેને કારણે ન્‍યાય યાત્રા અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્‍ય પરીમલભાઈ, માજી તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ અને શુભાષભાઈ, અશોકભાઈ તથા મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજજનો ઉપસ્‍થિત રહ્યાં હતા. જેમાં ધારાસભ્‍ય અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, મારા આદિવાસી સમાજ સાથે અન્‍યાય થશે તો અનંત પટેલ આદિવાસી સમાજને ન્‍યાય અપાવવા કોઈ પણ હદે જવા તૈયાર છે અને મારા આદિવાસી સમાજને ન્‍યાય અપાવીને જ જંપીશ.

Related posts

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment