April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલીના તલાવચોરા ગામે રવિવારે કોંગ્રેસની ન્‍યાય યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં બીલીમોરા ઓવરબ્રિજ ઉપર તોફાની તત્‍વોના હુમલાને કારણે કૂદી પડતા મોતને ભેટેલા ચીખલીતાલુકાના તલાવચોરા મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
ચીખલીના તલાવચોરા ગામે કોંગ્રેસી ધારાસભ્‍ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલની અધ્‍યક્ષતામાં રવિવારએ બેઠક મળી હતી. જેમાં તલાવચોરા ગામના આદિવાસી સમાજના મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી અપાઈ હતી. અગાઉ પણ આદિવાસી સમાજએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે મળી બીલીમોરા પોલીસ મથકે દેખાવ કરતા આરોપીઓ સામે 304 અને 307 જેવી કલમો ઉમેરવા પડી હતી. તે સાથે પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમ છતાં પરિવારને પૂરતો ન્‍યાય મળ્‍યો નથી. જેને કારણે ન્‍યાય યાત્રા અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્‍ય પરીમલભાઈ, માજી તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ અને શુભાષભાઈ, અશોકભાઈ તથા મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજજનો ઉપસ્‍થિત રહ્યાં હતા. જેમાં ધારાસભ્‍ય અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, મારા આદિવાસી સમાજ સાથે અન્‍યાય થશે તો અનંત પટેલ આદિવાસી સમાજને ન્‍યાય અપાવવા કોઈ પણ હદે જવા તૈયાર છે અને મારા આદિવાસી સમાજને ન્‍યાય અપાવીને જ જંપીશ.

Related posts

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

Leave a Comment