Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ડાંગ – વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે તેમના મતવિસ્‍તારના કાર્યકરો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના નાયબ દંડક ધવલભાઈ પટેલે ચીખલી સર્કિટ હાઉસ ખાતર ચીખલી અને ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ તથા ચુનિભાઈ, મહામંત્રી લિતેશ ગાવિત, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ, કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, એપીએસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ, ભાજપ કિશાન મોરચા આઇટી સેલના દીપકભાઈ સોલંકી, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, હોદ્દેદારોની ઉપસ્‍થિતમાં તેમના મતવિસ્‍તારમાં સમાવિષ્ટ ચીખલી અને ખેરગામ તાલુકાના 41-ગામોના કાર્યકરો સાથે બેઠક યોજી તમામ સાથે પરિચય કરી રજૂઆતો સાંભળી હતી.
બાદમાં સાંસદ ધવલભાઈ પટેલે ઉપસ્‍થિતોને સંબોધતા જણાવ્‍યું હતું કે, તાજેતરમાં દેશની વડી અદાલતની વાતને ટાંકીને કોંગ્રેસ,આમ આદમી પાર્ટીસહિત વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આદિવાસીઓને અનામતના મુદ્દે ગેરમાર્ગે દોરી ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સ્‍પષ્ટ અનામતમાં નોન ક્રિમિલેયર કે કોઈ પેટા કેટેગરી ભાજપ સરકાર કરવાની નથી. અને અનામતની વર્તમાન જોગવાઈમાં પણ કોઈ ફેરફાર કરવાની નથી. ત્‍યારે લોકોને ગેરમાર્ગે દોરનારા નેતાઓને જ તેમના પક્ષનું વલણ શું છે તે જાહેર કરવા જણાવી જડબાતોડ જવાબ આપવા હાંકલ કરી હતી. સાથે ધવલ પટેલે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, બજેટમાં વધારો, એકલવ્‍ય જેવી શાળાઓ વિજ્ઞાન પ્રવાહની શાળા કોલેજ, સિકલસેલ રોગને નાથવા માટે જોગવાઈ સહિત આદિવાસીઓ માટે ભાજપ સરકારે અનેક કાર્યો કર્યા હોવાનું ઉમેર્યું હતું. સાથે તેમણે નજીકના દિવસોમાં લોક દરબાર યોજવાની પણ જાહેરાત કરી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્‍ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્‍ય અનંત પટેલ

vartmanpravah

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

Leave a Comment