April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ..’ જેવા સેવાના કામો અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદા વ્રત જેના સંતના નામ થી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે એવા સંત શ્રી જલારામ બાપાના વાપી ખાતે આવેલા મંદિરે શ્રાવણ માસ સમગ્ર 30 દિવસ સુધી સતત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જલારામ બાપાના મંદિરે સમાન્‍ય સંજોગોમાં દર ગુરૂવારે ખીચડી-કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીંઆવનારા તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપતા સેવકો દ્વારા આજે શ્રાવણ મહિના રવિવારે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સેવા આપવા આવનારા અનેક સેવકો શિયાળો, ઉનાળો હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ તેમ છતાં પણ ગુરૂવારના દિવસે આ તમામ સેવકો હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે આ તમામ સેવકોને લીધે જ મોટાભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે ત્‍યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણના છેલ્લા દિવસે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

Related posts

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment