February 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી અને ખેરગામ તાલુકામાં છેલ્લા દિવસોમાં સતત અવરીત પણે વરસેલા મુશળધાર વરસાદ દરમ્‍યાન માર્ગ મકાન પંચાયતના જ નાના-મોટા 25 થી વધુ માર્ગો પર તથા આ માર્ગો પરના કોઝ-વે, પુલો પર પાણી ફરી વળતા ડૂબી જતાં બે ત્રણ દિવસ વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. બાદમાં પાણી ઓસરતા આ માર્ગો ઉપરાંત પુલ, કોઝ-વે ના એપ્રોચ પર અનેક જગ્‍યાએ ધોવાણ થતા લોકોને પારાવાર મુશ્‍કેલી પડી રહી હતી.
આ દરમ્‍યાન વરસાદે વિરામ લેતાની સાથે જ માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે કરી યુધ્‍ધના ધોરણે મરામત હાથ ધરવામાં આવી હતી અને મોગરાવાડી તાડ ફળીયા જોઈનિંગ રોડ, માંડવખડક ચીતપાતળ રોડ, કાકડવેરી પાટી રોડ, પાણીખડક મુખ્‍યમાર્ગથી દેસાઈ ફળીયા પીપલખેડને જોડતો રોડ સહિત નાના-મોટા 14-જેટલા માર્ગો આ માર્ગો પર પુલ કોઝ-વે ના એપ્રોચ રોડની મરામત કરી રાબેતા મુજબના વાહન વ્‍યવહાર માટે પુનઃ શરૂ કરી દેવાતા સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી હતી. જોકે રજાના દિવસોમાં પણ વરસાદ દરમ્‍યાન ચીખલી-ખેરગામમાં માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ દ્વારા માર્ગો, કોઝ-વે, પુલો પર પાણી ભરાવાની સ્‍થિતિ પર સતત દેખરેખ રાખવામાંઆવી રહી હતી અને વરસાદ બંધ પડતાની સાથે જ તાત્‍કાલિક માર્ગોની મરામત કરી ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને શકય એટલી ઓછી મુશ્‍કેલી પડે તેની તકેદારી રાખવામાં આવી હતી.

Related posts

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

Leave a Comment