July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં રાત્રે ઘર પર થાંભલા સાથે વીજ લાઈન પડતા પરિવારનો આબાદ બચાવ

વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવીઃ ત્રણ દિવસ પૂર્વે જ વીજ થાંભલા અંગે જાણ કરાઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વંકાલ ગામના સંધ્‍યાવાડ ફળીયામાં વીજ કંપનીના આંતલિયા સબ ડિવિઝનના અધિકારીઓની બેદરકારી જીવલેણ પુરવાર થાય તેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સંધ્‍યાવાડમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મનહરભાઇ નરસિંહભાઇ પટેલના ઘરના પાછળથી પસાર થતી વીજ લાઈન નજીક એક બાવળનું ઝાડ છેલ્લા કેટલાક દિવસોથી નમેલું હોય એ અંગે વીજ કંપનીના કર્મચારીઓને જાણ કરાઈ હતી. બાદમાં આ ઝાડ એકદમ વીજ લાઈન પર પડવાને આરે પહોંચતા આ પરિવાર દ્વારા આંતલિયા વીજ કંપનીની કચેરીમાં 28, 29, 30 ઓગષ્ટ એમ સતત ત્રણ દિવસ ફોન કરી ફરિયાદ કરી અમારા ઘરે થાંભલો આવી પડે તેવી સ્‍થિતિમાં છે તે અંગે જાણ કરાઈ હતી પરંતુ વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા આ કોઈ જ કાર્યવાહી નકરતા ગતરાત્રે બારેક વાગ્‍યાના અરસામાં ધડાકાભેર થાંભલા સાથે વીજ લાઈન ઘરના પાછળના ભાગે પડતા આજુબાજુના બે ઘરોના પંદરથી વીસ સિમેન્‍ટના પતરાનો ભૂક્કો બોલી ગયો હતો. આ ઉપરાંત દીવાલ અને થાંભલા પણ તૂટી જતા મોટું આર્થિક નુકસાન થયું હતું.
આ ગંભીર બનાવમાં સદ્‌નસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો. અને જાનહાની ટળી હતી.આ પરિવારના સભ્‍ય નિતેષભાઈ મનહરભાઈ દ્વારા વીજ કંપનીની કચેરીમાં લેખિત રજૂઆતમાં ત્રણ દિવસ સતત ફોન કરી થાંભલો પડવાને આરે હોવાની કરેલ જાણ સહિતની વિગતો સાથે નુકસાન પેટે વળતરની માંગ કરવામાં આવી છે. ત્‍યારે હવે વીજ કંપનીના જવાબદારો વળતર માટે હાથ ખંખેરશે કે પછી ચૂકવશે તે જોવું રહ્યું.
ડિજીવીસીએલ આંતલિયા સબ ડિવિઝનના નાયબ ઈજનેર વી.એન.દેસાઈના જણાવ્‍યાનુસાર વંકાલના સંધ્‍યાવાડમાં ખેતીવાડીની હાઈન્‍ટેનશન લાઈન પર નમી પડેલ ઝાડની ડાળી અમે કાપી જ નાંખી હતી. હાલે જે ઝાડ પડેલ તે બીજું ઝાડ છે. વળતર અંગે અમારી ઉપલી કચેરી અને મામલતદાર કચેરીમાં જાણ કરેલ છે.

Related posts

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

vartmanpravah

NITI આયોગે CSE અને ‘વેસ્ટ મુજબના શહેરો’ રિલીઝ કર્યા – મ્યુનિસિપલ ઘન કચરા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રયાસોનું સંકલન

vartmanpravah

Leave a Comment