July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાનહમાં ભારે વરસાદનાકારણે રસ્‍તાઓની હાલત અત્‍યંત દયનીય અને ખખડધજ થઈ ગઈ છે જેના કારણે જનમાનસને ઘણી તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં પણ મોટા ભાગના રસ્‍તાઓની હાલત ચંદ્ર ઉપર દેખાતા ખાડાઓની જેમ બની જતાં સ્‍માર્ટસીટીમાં ગ્રહણ લાગી રહ્યું છે. જેમાં વોર્ડ નંબર 9ના જેટલા પણ રસ્‍તાઓ છે જે તમામ વરસાદને કારણે જર્જરિત થઈ બની ગયા છે જેના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે.
આ બાબતે સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9ના કાઉન્‍સિલર શ્રીમતી જયશ્રી મનોજ ભુરકુડ દ્વારા વહેલામાં વહેલી તકે ખખડધજ અને બિસ્‍માર રસ્‍તાઓનું સમારકામ કરવા માટે ન.પા.ના ચીફ ઓફિસર અને ન.પા. પ્રમુખને રજૂઆત કરી છે. વોર્ડ નંબર 9માં કામળી ફળિયા, અયપ્‍પા મંદિરથી શ્રી રેસીડન્‍સી, આનંદ નગરની પાછળ, કલેક્‍ટર બંગલાની પાછળ, માઈક્રો ટાવર તરફ જતા રસ્‍તા સહિત તમામ રસ્‍તાઓની હાલત ખુબજ બદતર બની ગઈ છે જેને પણ તાત્‍કાલિક રીપેર કરવામાં આવે એવી માંગ કરી છે.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટરાલયમાં ઉત્તરાખંડ રાજ્‍યના 24મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

Leave a Comment