(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાનહમાં ભારે વરસાદનાકારણે રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને ખખડધજ થઈ ગઈ છે જેના કારણે જનમાનસને ઘણી તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં પણ મોટા ભાગના રસ્તાઓની હાલત ચંદ્ર ઉપર દેખાતા ખાડાઓની જેમ બની જતાં સ્માર્ટસીટીમાં ગ્રહણ લાગી રહ્યું છે. જેમાં વોર્ડ નંબર 9ના જેટલા પણ રસ્તાઓ છે જે તમામ વરસાદને કારણે જર્જરિત થઈ બની ગયા છે જેના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે.
આ બાબતે સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીમતી જયશ્રી મનોજ ભુરકુડ દ્વારા વહેલામાં વહેલી તકે ખખડધજ અને બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા માટે ન.પા.ના ચીફ ઓફિસર અને ન.પા. પ્રમુખને રજૂઆત કરી છે. વોર્ડ નંબર 9માં કામળી ફળિયા, અયપ્પા મંદિરથી શ્રી રેસીડન્સી, આનંદ નગરની પાછળ, કલેક્ટર બંગલાની પાછળ, માઈક્રો ટાવર તરફ જતા રસ્તા સહિત તમામ રસ્તાઓની હાલત ખુબજ બદતર બની ગઈ છે જેને પણ તાત્કાલિક રીપેર કરવામાં આવે એવી માંગ કરી છે.