June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

બિન રાજકીય રહેલ આ ખેડ સત્‍યાગ્રહને થોડા વર્ષોથી રાજકીય રંગે રંગી કોંગ્રેસ અને ભાજપ દ્વારા અલગ અલગ રેલીનું આયોજન

કોંગ્રેસના આ કાર્યક્રમમાં ભાજપ સરકારના માથે માછલા ધોવાયા : લકકી ડ્રો દ્વારા અનેક ખેડૂતોને ખેતીના સાધનો ફ્રીમાં આપવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: 1લી સપ્‍ટેમ્‍બર એટલે ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલી દિવસ 1953 થી જાગીરદારોએ પચાવી પાડેલ જમીન મેળવવા માટે શરૂ થયેલ ઈશ્વરભાઈ દેસાઈ, ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ તથા રમણભાઈ દેસાઈ સહિત અનેક લોકો દ્વારા શરૂ થયેલ આ અહિંસક લડાઈ 14 વર્ષ પછી 1967 માં પૂર્ણ થઈ અને આ જમીનદારો અને શાહુકારો પાસેથી 14000 એકર જમીન ખેત મજુર (ખેડૂત) તરીકે અને 13,000 એકર જમીન ગણોતિયા તરીકેઆમ કુલ 27000 એકર જમીન તત્‍કાલીન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના હસ્‍તે સનદ આપી હજારો જમીન વિહોણા ગરીબ લોકોને જમીનના માલિક બનાવી ખેડૂત બનાવ્‍યા હતા. આ મહાનુભવોની યાદમાં તેમણે કરેલ આંદોલનો ભૂલી ન જાય અને તેમના બલિદાનનોને યાદ કરવા માટે દર વર્ષે પહેલી સપ્‍ટેમ્‍બરે આ ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે.
અગાઉના વર્ષોમાં આ રેલી બિન રાજકીય રીતે યોજાતી હતી પરંતુ થોડા વર્ષોથી તેને રાજકીય રંગ આપી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અલગ અલગ રીતે આ રેલીનું આયોજન કરતા આવ્‍યા છે.
ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ખેડ સત્‍યાગ્રહમાં આગવી ભૂમિકા ભજવનારા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલના ગામ ડુમલાવ ખાતે આજરોજ પહેલી સપ્‍ટેમ્‍બરે ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાંસદાના ધારાસભ્‍ય અને હાલમાં અનેક આંદોલનો દ્વારા જંગલ વિસ્‍તારના આદિવાસીઓના દરેક પ્રશ્ને સાથે રહેનારા અનંતભાઈ પટેલની સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ખેડૂતોની સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પારડી તાલુકાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સતિષભાઈ પટેલની રાહબરી હેઠળ યોજાયેલ આ રેલીમાં પધારેલ અનેક મહાનુભવોએ આ રેલીમાં બલિદાન આપનારાવીરોને યાદ કરી આજની ગરીબો અને આદિવાસીઓની વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતિષભાઈ પટેલે ‘‘હારે અમે ધરતીના ખેડૂત જાગ્‍યા”, ‘‘ખેડે એની ભોંય થશે” ના ગીતો દ્વારા આ સમગ્ર ખેડ સત્‍યાગ્રહનો ઈતિહાસ લોકો ઉપસ્‍થિત ખેડૂતોને વર્ણવ્‍યો હતો.
વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઈ પટેલે જય આદિવાસી અને ઉત્તમભાઈ અમર રહો ના સુત્રો સાથે પોતાના વ્‍યક્‍તત્‍વની શરૂઆત કરી ભાજપ સરકાર પર આંકરા પ્રહારો કરી આ સરકાર કોઈ મદદ કરી રહી નથી પરંતુ વિવિધ પ્રોજેક્‍ટ આદિવાસી તથા જંગલ વિસ્‍તારમાં લાવીને ગરીબોની જમીન લૂંટી લઈ ફરીથી જમીન વિહોણા બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ‘‘જાન દેંગે જમીન નહીં” ના નવા સૂત્ર લોકો પાસે બોલાવી સભામાં ઉપસ્‍થિત ખેડૂતોમાં ઉત્‍સાહ ભરી ટુંકુ પરંતુ જોશ ભર્યું વક્‍તવ્‍ય કર્યું હતું.
જેમણે આ ખેડ સત્‍યાગ્રહમાં મહત્‍વની ભૂમિકા નિભાવી હતી એવા રમણભાઈ દેસાઈના પુત્ર અને કોંગ્રેસમાં કેન્‍દ્રમાં આગવું સ્‍થાન ધરાવતા મિલનભાઈ દેસાઈએ ખૂબ સરસ ઉદબોધન કર્યું હતું. તેઓએ ઉત્તમભાઈ પટેલને મરણોત્તર એવોર્ડ મળે તે માટેના પ્રયાસ કરવા જોઈએ હોવાનું જણાવ્‍યું હતું. આ ઉપરાંત ધારાસભ્‍ય અનંતભાઈના સૂત્ર લડેંગે જીતેંગે ઔર લડેંગે ઓર જીતેંગે નીસાથે દિલ્‍હી સર કરેંગેનું નવું સૂત્ર આપ્‍યું હતું.
આ ઉપરાંત વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફૂલજી, વલસાડ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ, માજી સાંસદ કિશનભાઈ, જયશ્રીબેન, મુકેશભાઈ ડુમલાવ, કુંજાલીબેન, રમેશભાઈ ઓઝર વિગેરેનાઓએ પોતાના વક્‍તવ્‍યમાં ખૂબ મુશ્‍કેલીથી મળેલ આ જમીન વેચી ન દેતા તેને સાચવવાનું જણાવ્‍યું હતું અને આજનો આ દિવસ ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈને યાદ કરવાનો દિવસ હોવાનું કહ્યું હતું.
સાથે સાથે આ ખેડ સત્‍યાગ્રહમાં ઉપસ્‍થિત ખેડૂતોને ઈનામી કુપન આપી લકી ડ્રો દ્વારા દવા છાંટવાનો ડીઝલ પંપ, લાકડા કાપવાનું કટર મશીન, ઘાસ કાપવાનુ કટર મશીન, બેટરીવાળો પંપ, પાણી ખેંચી શકે તેવું જનરેટર તથા ઉપસ્‍થિત દરેક બહેનોને દાતરડું ફ્રીમાં આપવામાં આવ્‍યું હતું. આ તમામ 40,000 રૂપિયાના સાધનો મિલનભાઈ દેસાઈ તરફથી આપવામાં આવ્‍યા હતા.
આજના આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ, મિલનભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ, વાપીના ખંડુભાઈ, પીરુભાઈ, ઉમરગામના ફુલજીભાઈ, હરેશભાઈ, સુરેશભાઈ, મુકેશભાઈ, કુંજલીબેન, ધર્મિષ્ઠાબેન, જયશ્રીબેન, ગીતાબેન તથા આ ખેડસત્‍યાગ્રહમાં ભાગ લેનારા ડુમલાવ તથા પંડોરના બે મહાનુભાવો સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહી આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment