November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સીનીયર સીટીઝન ગ્રુપ વાપી 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશ કરતા લાયન્‍સ ઉપાસના હોલમાં વાર્ષિક મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજ્‍યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.જ્‍યારે અતિથિ વિશેષ તરીકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના પૂ. શ્રી રામસ્‍વામીજી, રિટાયર ડી.વાય.એસ.પી. શ્રી આર.ડી. ફળદુ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી અંબાલાલ બાબરીયા, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મંડળ દ્વારા વિવિધ કાર્યોના અહેવાલ તેમજ આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ મા કાર્ડ તેમજ સિનીયર સીટીઝન કાર્ડના મળતા લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ કાર્યકર્તાઓનું વિશિષ્‍ટ કાર્ય કરવા બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત જળ પ્રલય પીડિતો માટે સિનીયર સીટીઝન દાન એકત્રિત કરી સ્‍વામીજીને આપવામાં આવ્‍યું હતું.
સમગ્ર કાર્યક્રમ ચેરમેન શ્રી ઝવેરભાઈ પટેલ, પ્રમુખ શ્રી ભરતભાઈ પંડયા, મંત્રી શ્રી પ્રફુલભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે નવા પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ સોજીત્રાની સર્વાનુમત્તે નિમણૂંક કરવામાં આવી હતી.

Related posts

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

vartmanpravah

‘મોદીની ગેરંટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરંટી છેઃ વડાપ્રધાન

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment