July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગ વાપીમાં એક દિવસનો વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આર.કે.દેસાઈ કૉલેજ ઑફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગમાં એક દિવસનો વર્કશોપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્‍પીકર તરીકે પ્રો. સી.એ. દિપક વેકરીયા હતા અને આ વર્કશોપમાં તેમનો વિષય “Financial Literacy” હતો. “Financial Literacy” એટલે કે આપણી બચત ને આપણે કઈ રીતે રોકાણ કરી શકીએ, કઈ જગ્‍યાએ કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઇએ. એના વિશે ખુબજ સરળ ભાષા શૈલીની અંદર સમજૂતી આપી હતી. એટલું જ નહીં પરંતુ ફાયનાન્‍સિયલની બાબતે જે સમસ્‍યાઓ સર્જાય છે તે સમસ્‍યાનો કઈ રીતે સામનો કરવો તે વિશે પણ સુંદર માહિતી પૂરી પાડી હતી. અને આ વર્કશોપ ખાસ કરીને ગ્‍.ઘ્‍બ્‍પ્‍ ના છેલ્લા વર્ષમાંઅભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રો.ચિત્રા શેઠ દેસાઈ તથા ડો.અમિત સોનવને એ કર્યું હતું. તેમજ આ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર તરીકે કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધીએ ફરજ નિભાવી હતી. આ કાર્યક્રમને સુકાન તરફ લઇ જવા માટે જીએસ ગોહર શેખે આભારવિધિ કરી હતી. આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્‍થાના ચેરમેન મિલન દેસાઈ તથા ઈન્‍ચાર્જ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહે તેમજ કોલેજના સમગ્ર અધ્‍યાયપકોએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment