October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

જીઆઇડીસીએ સંપાદન કરેલ જમીનમાં નિગમનું નામ દાખલ કરવામાં થઈ રહેલ બિનજરૂરી વિલંબનો મુદ્દો સંકલન સમિતિમાં ઉઠવા પામ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ મામલતદાર કચેરીમાં જીઆઇડીસીએ સંપાદન કરેલ જમીનમાં નિગમનું નામ દાખલ કરવા બાબતે લાંબા સમયથી ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. જે પ્રકરણ બાબતે જીઆઇડીસી દ્વારા સંપાદન પ્રક્રિયાના તમામ પુરાવા રજૂ કરવા છતાં અધિકારીઓ નામ દાખલ કરવાના નિર્ણય ઉપર ન આવતા આખરે આ પ્રકરણની સંકલન સમિતિમાં રજૂઆત થવા પામી છે.
વિગતે જોતા ઉમરગામ જીઆઇડીસી દ્વારા 1988 માં જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સંપાદન કરેલ જમીનની રેકોર્ડ ઉપર એન્‍ટ્રી પણ પાડી દેવામાં આવી હતી પરંતુ ઇફેક્‍ટ આપવાની બાકી રહી જવા પામી હતી. જે તે સમયનાતલાટી કમ મંત્રીને નિયમ અનુસાર રેકોર્ડના આધારે નિગમનું નામ દાખલ કરવા જીઆઇડીસી દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર પ્રક્રિયામાં ઇફેક્‍ટ આપવાની બાકી રહી ગઈ હોય જેને કારણે રેકોર્ડ ઉપર મૂળ માલિકના નામો ચાલી આવી રહ્યા છે. આ પ્રકરણ જીઆઇડીસીના અધિકારીઓને ધ્‍યાને આવતા વર્ષ 2022માં ઉમરગામ મામલતદાર કચેરીને જરૂરી આધારભૂત દસ્‍તાવેજો સાથે અરજી કરી જીઆઇડીસી દ્વારા સંપાદન કરેલ જમીનમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા કરવા માટે ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી જીઆઇડીસી નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલ જમીનમાં જીઆઇડીસીનું નામ દાખલ કરવાના સંદર્ભે નિગમના અધિકારીઓ દ્વારા સતત મામલતદાર કચેરીનું ધ્‍યાન દોરવામાં આવે છે પરંતુ કોઈક કારણસર સમગ્ર પ્રક્રિયામાં મામલતદાર કચેરીના ઉદાસીન વલણને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી. આ પ્રકરણને ઉમરગામ તાલુકાના ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર દ્વારા જિલ્લા સંકલનમાં પણ રજૂ કરવામાં આવ્‍યો હતો તેમ છતાં પણ જીઆઇડીસીનું નામ દાખલ થઈ શકયું નથી. હવે ગત શનિવારના રોજ જીઆઇડીસી નિગમના રિજનલ મેનેજર અને ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે જિલ્લા સંકલનમાં ફરી પ્રશ્નો ઉઠાવી આધારભૂત દસ્‍તાવેજો રજૂ કર્યા હોવાની તેમજ નામ દાખલ કરવા માટે સૂચનપણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઉમરગામ મામલતદાર કચેરીમાં ચાલતા વહીવટના ભ્રષ્ટાચારી પુરાવા નજીકના ભૂતકાળમાં પ્રકાશિત થયા છે અને હાલમાં પણ સામાન્‍ય અરજદારોને કામ કરાવવું ભારે મુશ્‍કેલી અને સહન કરવું પડી રહ્યું છે. હવે આ પ્રકરણમાં લાંબા સમયથી નિગમનું નામ દાખલ કરવાની બિનજરૂરી વિલંબની પ્રક્રિયામાં મામલતદાર કચેરીના અધિકારીઓ કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.

Related posts

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

બાળકો ઉઠાવી લઈ જવાની શંકા રાખી ચીખલીના ઢોલુમ્‍બર ગામે ભિક્ષા માંગવા આવેલ સાધુઓને ગ્રામજનોએ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્‍સ ટીમમાં મળ્‍યું સ્‍થાન

vartmanpravah

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment