March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણમાં બાબા રામદેવ પીરની ભાદરવી બીજના પવિત્ર પર્વ નિમિત્તે દમણથી વાપીના નામધા ખાતે રામદેવ પીર બાબા મંદિર પરિસર સુધી ધ્‍વજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોએ વિવિધ સ્‍થળોએ ફુલોની વર્ષા કરી પદયાત્રાનું સ્‍વાગત કર્યું હતું. આ પદયાત્રા દમણના ભીમપોરથી સોમનાથ થઈને વાપીના નામધામાં બાબા રામદેવ પીરના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં દમણમાં સ્‍થાયીરાજસ્‍થાની સમુદાયના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ પીર મંદિરના સાનિધ્‍યમાં ગત રાત્રે કલાકારો દ્વારા ભજન સંધ્‍યાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે મહા આરતી બાદ તમામ ભક્‍તોને ગુરુની પ્રસાદી આપવામાં આવી હતી.

Related posts

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટરનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment