July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણમાં બાબા રામદેવ પીરની ભાદરવી બીજના પવિત્ર પર્વ નિમિત્તે દમણથી વાપીના નામધા ખાતે રામદેવ પીર બાબા મંદિર પરિસર સુધી ધ્‍વજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોએ વિવિધ સ્‍થળોએ ફુલોની વર્ષા કરી પદયાત્રાનું સ્‍વાગત કર્યું હતું. આ પદયાત્રા દમણના ભીમપોરથી સોમનાથ થઈને વાપીના નામધામાં બાબા રામદેવ પીરના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં દમણમાં સ્‍થાયીરાજસ્‍થાની સમુદાયના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ પીર મંદિરના સાનિધ્‍યમાં ગત રાત્રે કલાકારો દ્વારા ભજન સંધ્‍યાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે મહા આરતી બાદ તમામ ભક્‍તોને ગુરુની પ્રસાદી આપવામાં આવી હતી.

Related posts

સેલવાસની સુપર ઇલેક્‍ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

પારડીના નાના વાઘછીપા ખાતે ટેમ્‍પાએ સામેથી અર્ટિગાને ટક્કર મારતા અર્ટિગામાં સવાર સિનિયર સીટીજનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ઉમરગામ નગર પાલિકા સામે ભ્રષ્ટાચારની પાયા વિહોણી બુમરાણમા પ્રજા સવાલદારની ભૂમિકામાં

vartmanpravah

Leave a Comment