April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : આજે ‘રાષ્‍ટ્રીય શિક્ષક દિવસ’ના નિમિત્તે સેલવાસના ઝંડાચોક સ્‍થિત અંગ્રેજી માધ્‍યમ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ના જન્‍મ દિવસને સમગ્ર દેશમાં‘શિક્ષક દિન તરીકે’ ઉજવવામાં આવે છે. તેઓ વિવિધ ધર્મ અને તત્‍વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ 20મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પヘમિી વિચારો અને તત્‍વચિંતન વચ્‍ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્‍વચિંતનને પヘમિી વિચારસરણીની ઓળખ કરાવી અને પヘમિી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્‍યનો રસાસ્‍વાદ કરાવ્‍યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ (1952-1962) અને દ્વિતિય રાષ્‍ટ્રપતિ (1962-1967) હતા.
આજના શિક્ષક દિવસ નિમિત્તે સેલવાસના ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં શિક્ષક દિવસની ખુબ જ આનંદ-ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. દરમિયાન શાળામાં વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે શાળાના શિક્ષકોનો આચાર્યશ્રી દ્વારા પ્રોત્‍સાહક ઈનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે શાળાના આચાર્યા શ્રીમતી મનીષા પવાર, ઉપ આચાર્ય શ્રી પ્રકાશસિંહ સોલંકી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

કીકરલા નાની કોળીવાડથી ચોરાયેલો છોટા હાથી ટેમ્‍પો પારડી પોલીસ છોટા ઉદેપુરથી ટેમ્‍પો સાથે બંને આરોપીને લઈ આવી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment