March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : આજે ‘રાષ્‍ટ્રીય શિક્ષક દિવસ’ના નિમિત્તે સેલવાસના ઝંડાચોક સ્‍થિત અંગ્રેજી માધ્‍યમ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ના જન્‍મ દિવસને સમગ્ર દેશમાં‘શિક્ષક દિન તરીકે’ ઉજવવામાં આવે છે. તેઓ વિવિધ ધર્મ અને તત્‍વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ 20મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પヘમિી વિચારો અને તત્‍વચિંતન વચ્‍ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્‍વચિંતનને પヘમિી વિચારસરણીની ઓળખ કરાવી અને પヘમિી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્‍યનો રસાસ્‍વાદ કરાવ્‍યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ (1952-1962) અને દ્વિતિય રાષ્‍ટ્રપતિ (1962-1967) હતા.
આજના શિક્ષક દિવસ નિમિત્તે સેલવાસના ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં શિક્ષક દિવસની ખુબ જ આનંદ-ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. દરમિયાન શાળામાં વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે શાળાના શિક્ષકોનો આચાર્યશ્રી દ્વારા પ્રોત્‍સાહક ઈનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે શાળાના આચાર્યા શ્રીમતી મનીષા પવાર, ઉપ આચાર્ય શ્રી પ્રકાશસિંહ સોલંકી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

ગણદેવી તાલુકામાં 170 અને ચીખલી તાલુકામાં 111 ટીબીના દર્દીઓ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

Leave a Comment