July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્‍ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં આગામી તારીખ 14/09/2024ના રોજ રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાનાર છે, જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માધ્‍યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો લોક અદાલતોનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલતના પ્રચાર પ્રસાર માટે આગામી તા.11/09/2024 ના રોજ બપોરે 02.30 કલાકે અને તા. 12/09/2024ના રોજ સાંજે 6.00 કલાકે તેમજ તા. 13/09/2024ના રોજ સવારે 09:30 કલાકે આમ, સતત ત્રણ દિવસ ડી.ડી. ગીરનાર ચેનલ અને યુટયૂબ એપ્‍લિકેશનના માધ્‍યમથી રાજ્‍યની વડી અદાલતના મુખ્‍ય ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેન એ.વૈષ્‍ણવ દ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ નિહાળવા વલસાડ જિલ્લાની જનતાને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

દાદરા ગ્રા.પં.ની સામે નિર્માણ પામી રહેલ ચાર માળની બિલ્‍ડીંગનો સ્‍થાનિકોએ કરેલો વિરોધ

vartmanpravah

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

Leave a Comment