March 3, 2026
Vartman Pravah
દમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દમણમાં યુથ પાર્લામેન્ટના આયોજક જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રી પટેલે પોતાના સાથીઓ સાથે આભાર પ્રસ્તાવની કરેલી સોંપણી

યુથ પાર્લામેન્ટમાં પાંચ વર્ષના પ્રશાસક તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રદેશને પોતાના સુશાસનથી ભય અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની સાથે આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક વૈચારિક ઔદ્યોગિક તથા માળખાગત અને પ્રવાસન ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તન ઉપર મહોર મારતો આભાર પ્રસ્તાવ પસાર કરાયો હતો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૩
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની, દમણ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે યુથ પાર્લામેન્ટના સાથીઓ સાથે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પાંચ વર્ષના સુશાસનરૂપી કાર્યકાળમાં પ્રદેશમાં થયેલા આમૂલ પરિવર્તન અને સુરક્ષા સહિતના મુદ્દાઓ ઉપર યુવા પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવ પણ સોંપવામાં આવ્યો હતો.
આ અવસરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે યુવા ટીમને પાર્લામેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ પ્રદેશના વિકાસમાં યુવાઓની અપેક્ષાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મહત્વના સૂચનો પણ આપ્યા હતા. દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે યુથ પાર્લામેન્ટના સહભાગીઓની ટીમે પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો હતો.
અત્રે યાદ રહે કે, પ્રશાસક તરીકે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી પ્રફુલભાઈ પટેલના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના અવસર પર તા. ૨૯મી ઓગસ્ટ, ર૦ર૧ના રોજ દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે દમણમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યુ હતું.
યુથ પાર્લામેન્ટમાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, માળખાકીય સુવિધાઓ, પ્રવાસન વિકાસ, કનેક્ટીવીટી, કોરોના સમયગાળા દરમિયાન પ્રશાસનની ભૂમિકા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કર્યા બાદ સર્વસંમતિથી પ્રદેશની કાયાપલટ અને ગરીબ તથા જરૂરિયાતમંદો માટે જન કલ્યાણકારી કાર્યો માટે દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્તાવ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સોîપવામાં આવ્યો હતો.

 

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય રેલવે સંચાર ઈલેકટ્રોનિક્‍સ અને ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment