(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૩
દાનહમાં નવા ૦૧કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૦૫ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૦કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૩૯ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા અને રેપિડ ઍન્ટિજન ૪૨૧ નમૂના લેવામા આવ્યા હતા જેમાંથી ઍકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. પ્રદેશમાં હાલમાં ૦૧ કન્ટાઈનમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી-સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૨૬૩૫ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૫,૪૯૮ અને બીજો ડોઝ ૬૮,૧૭૨ વ્યક્તિઓને આપવામા આવતા કુલ ૪,૩૩,૬૭૦ લોકોને વેક્સીન આપવામા આવી છે.