June 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

ભારત સરકારના ગૃહ મંત્રાલયના યુ.ટી. ડિવિઝને જારી કરેલો આદેશ

દાનિપ્‍સ અધિકારી રજનીકાંત અવધિયાની પણ અંદામાન બદલી

સંઘપ્રદેશ પ્રશાસનમાંદિલ્‍હીથી દાનિક્‍સ અધિકારીઓ અમિત કુમાર પમાસી, પુનિતકુમાર પટેલ અને મરાઠે ઓંકાર ગોપાલની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : ભારત સરકારના ગૃહ મંત્રાલયના યુ.ટી. ડિવિઝને સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત દાનિક્‍સ અને દાનિપ્‍સ અધિકારીઓની બદલીઓના આદેશ પણ આજે જારી કર્યા હતા. જેમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કાર્યરત દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્મા, શ્રી એસ. ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી મોહિત મિશ્રાનો પણ સમાવેશ થાય છે.
2013 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્મા અને 2012 બેચના શ્રી એસ. ક્રિષ્‍ણા ચૈતન્‍યની અંદામાન અને નિકોબાર અને 2013 બેચના શ્રી મોહિત મિશ્રાની દિલ્‍હી બદલીનો આદેશ જારી કરાયો છે.
2009 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી અમિત કુમાર પમાસી, 2012 બેચના શ્રી પુનિતકુમાર પટેલ અને 2008 બેચના શ્રી મરાઠે ઓંકાર ગોપાલની દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં બદલીનો આદેશ કરાયો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 2013 બેચના દાનિપ્‍સ અધિકારી શ્રી રજનીકાંત અવધિયાની અંદામાન અને નિકોબાર અને દિલ્‍હીથી 2011 બેચના સુશ્રી તનુ શર્માની દાનહ અને દમણ-દીવ પ્રશાસનમાં બદલીનો આદેશ કરાયો છે.

Related posts

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

Leave a Comment