June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને ફરમન બ્રહ્માની અરૂણાચલ પ્રદેશ તથા ભાનુ પ્રભાની દિલ્‍હી બદલી

સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારી અજય કુમાર ગુપ્તા અને ડો. મોનિકા પ્રિયદર્શીનીનું દિલ્‍હીથી થનારૂં આગમન

દાનહ અને દમણ-દીવમાં કાર્યરત આઈ.પી.એસ. અધિકારી ફૂલઝેલે પિયુષ નિરાકરની લદ્દાખ અને મણિભૂષણ સિંઘની મિઝોરમ બદલી

કુમાર જ્ઞાનેશની દિલ્‍હીથી અને કેતન બંસલની ચંડીગઢથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયે એગ્‍મૂટ કેડરના 33 આઈ.એ.એસ. અને 45 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના 3 આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આજે ભારત સરકારના ગૃહમંત્રાલયે જારી કરેલા આઈ.એ.એસ. અને આઈ.પી.એસ.ની બદલીના આદેશમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નાણાં સચિવ તથા પંચાયતી રાજ સચિવ જેવા મહત્ત્વના પદે કાર્યરત 2011 બેચના આઈ.એ.એસ.અધિકારી શ્રી ગૌરવ સિંહ રાજાવત, દીવ જિલ્લાના કલેક્‍ટર 2015 બેચના શ્રીમતી ભાનુ પ્રભા અને 2019 બેચના સંઘપ્રદેશમાં સમાજ કલ્‍યાણ સચિવ તરીકે કાર્યરત શ્રી ફરમન બ્રહ્માનો સમાવેશ થાય છે. શ્રી ગૌરવ સિંહ રાજાવત અને શ્રી ફરમન બ્રહ્માને અરૂણાચલ પ્રદેશ અને શ્રીમતી ભાનુ પ્રભાની દિલ્‍હી ખાતે બદલી કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 2010 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અજય કુમાર ગુપ્તા અને 2014 બેચના ડો. મોનિકા પ્રિયદર્શીનીની દિલ્‍હીથી બદલી કરવામાં આવી છે.
જ્‍યારે આઈ.પી.એસ. અધિકારીઓમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં ફરજ બજાવી રહેલા 2015 બેચના શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની લદ્દાખ અને 2019 બેચના શ્રી મણિભૂષણ સિંઘની મિઝોરમ બદલીના આદેશ જારી કરાયા છે અને સંઘપ્રદેશ પ્રશાસનમાં 2013 બેચના શ્રી કુમાર જ્ઞાનેશની દિલ્‍હીથી અને 2016 બેચના શ્રી કેતન બંસલની ચંડીગઢથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં બદલીના આદેશ કરાયા છે.

Related posts

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

વલસાડ-સરોધી હાઈવે ઉપર રાત્રે જીવલેણ ખાડાથી બચવા કારે અચાનક બ્રેક મારતા ત્રણ કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

Leave a Comment