February 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: સાતમા ‘‘રાષ્‍ટ્રીય પોષણ માહ” ની ઉજવણીઅંતર્ગત સપ્‍ટેમ્‍બર- 2024માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના તમામ આંગણવાડી કેન્‍દ્રો પર ઉજવણી કરવામાં આવી રહી છે.
પોષણ માહ- 2024 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અતિકુપોષિત બાળકોના કુપોષણને દૂર કરવા માટે આઈ.સી.ડી.એસ શાખામાં વલસાડ તાલુકાના વલસાડ ઘટક-3માં પારડી પારનેરા-5 બંગલી ફળિયાના આંગણવાડી કેન્‍દ્રમાં કુપોષિત બાળક અને અતિકુપોષિત બાળકોને દાતાશ્રી તરફથી ખજૂર અને સીંગદાણા ચિક્કીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મગોદ ડુંગરી-2 નારીછેડા ફળિયાના આંગણવાડી કેન્‍દ્રમાં પણ દાતાશ્રી તરફથી બાળકોને પ્રોત્‍સાહિત કરવા ફળ અને ખજૂર વિતરણ કરવામાં આવ્‍યા હતા સાથે ‘‘પૌષ્ટિક અને સમતોલ આહાર, શરીરને આપે તંદુરસ્‍તી અપાર” નાં સૂત્ર સાથે સ્‍વસ્‍થ જીવનનો આધાર પૌષ્ટિક આહાર વિષે માહિતગાર કરતા ચોપાનીયાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.
આમ, ઘટકમાં એક બાજુ કુપોષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત રાખવામાં આવે છે જ્‍યારે બીજી તરફ તંદુરસ્‍ત બાળકોને પ્રોત્‍સાહન પણ કરવામાં આવે છે. આ સાથે સગર્ભા માતાઓને માતૃશક્‍તિનો ઉપયોગ, નિયમિત રસીકરણ અને 6 માસ સુધી ફક્‍ત સ્‍તનપાન અને સગર્ભાવસ્‍થા દરમિયાન રાખવાની થતી કાળજી વિશે સમજ આપવામાં આવી હતી. પોષણ માસનું કેન્‍દ્રબિંદુપોષણ આધારિત સંવેદના માટે માનવ જીવનચક્રના મુખ્‍ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્‍થા, બાલ્‍યાવસ્‍થા, બાળપણ અને કિશોરાવસ્‍થા વિશે જાગૃતિ લાવવાનો છે.

Related posts

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment