July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને લોકસભાના સ્‍પીકર શ્રી ઓમ બિરલા દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના ગૃહ બાબતો સંબંધિત સમિતિના સભ્‍ય બનાવાયા છે.ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગૃહ બાબતોની સમિતિની યાદીમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરનું નામ સામેલ કરાયું છે. આ સમિતિમાં લોકસભાના અને રાજ્‍યસભાના સાંસદોને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની કમિટીમાં સભ્‍ય પદ મળતા દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર શ્રી ઓમ બિરલા, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જ્‍યારે સાંસદ શ્રી કલાબેન ડેલકરને કેન્‍દ્રીય ગૃહમંત્રાલયની કમિટીમાં મળેલા સભ્‍ય પદ બદલ દાનહવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Related posts

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

Leave a Comment