Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: સાતમા ‘‘રાષ્‍ટ્રીય પોષણ માહ” ની ઉજવણીઅંતર્ગત સપ્‍ટેમ્‍બર- 2024માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના તમામ આંગણવાડી કેન્‍દ્રો પર ઉજવણી કરવામાં આવી રહી છે.
પોષણ માહ- 2024 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અતિકુપોષિત બાળકોના કુપોષણને દૂર કરવા માટે આઈ.સી.ડી.એસ શાખામાં વલસાડ તાલુકાના વલસાડ ઘટક-3માં પારડી પારનેરા-5 બંગલી ફળિયાના આંગણવાડી કેન્‍દ્રમાં કુપોષિત બાળક અને અતિકુપોષિત બાળકોને દાતાશ્રી તરફથી ખજૂર અને સીંગદાણા ચિક્કીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મગોદ ડુંગરી-2 નારીછેડા ફળિયાના આંગણવાડી કેન્‍દ્રમાં પણ દાતાશ્રી તરફથી બાળકોને પ્રોત્‍સાહિત કરવા ફળ અને ખજૂર વિતરણ કરવામાં આવ્‍યા હતા સાથે ‘‘પૌષ્ટિક અને સમતોલ આહાર, શરીરને આપે તંદુરસ્‍તી અપાર” નાં સૂત્ર સાથે સ્‍વસ્‍થ જીવનનો આધાર પૌષ્ટિક આહાર વિષે માહિતગાર કરતા ચોપાનીયાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.
આમ, ઘટકમાં એક બાજુ કુપોષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત રાખવામાં આવે છે જ્‍યારે બીજી તરફ તંદુરસ્‍ત બાળકોને પ્રોત્‍સાહન પણ કરવામાં આવે છે. આ સાથે સગર્ભા માતાઓને માતૃશક્‍તિનો ઉપયોગ, નિયમિત રસીકરણ અને 6 માસ સુધી ફક્‍ત સ્‍તનપાન અને સગર્ભાવસ્‍થા દરમિયાન રાખવાની થતી કાળજી વિશે સમજ આપવામાં આવી હતી. પોષણ માસનું કેન્‍દ્રબિંદુપોષણ આધારિત સંવેદના માટે માનવ જીવનચક્રના મુખ્‍ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્‍થા, બાલ્‍યાવસ્‍થા, બાળપણ અને કિશોરાવસ્‍થા વિશે જાગૃતિ લાવવાનો છે.

Related posts

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment