November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.14/09/2024નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ- જાહેરાત- કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ- 1253 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્‍યા હતા તથા સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફમેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કુલ-6816 કેસો મુકવામાં આવ્‍યા હતા. આ સિવાય બેન્‍ક- ફાયનાન્‍સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વીજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન- મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ- 8937 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્‍ડિંગ કેસો કુલ- 624 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ- 5693 અને પ્રિ-લીટીગેશનનાં કુલ- 5287 મળી કુલ 11,604 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. આ કેસોમાં કુલ રૂ.14,63,13,601/- નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ખુબ જ ઉત્‍સાહ પુર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

સંઘપ્રદેશના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે ધો.10 -અને 1રના વિદ્યાર્થીઓનો હોંસલો બુલંદ કરતા ઉચ્‍ચ અધિકારીઓ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment