July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ પૂર્વે ડીવાયએસપીના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી અખિલ હિન્‍દ મહિલા મંડળ હોલ ખાતે ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી-ભગીરથસિંહ ગોહિલના અધ્‍યક્ષ સ્‍થાને ઈન્‍ચાર્જ પીઆઇ-એન.એમ.આહીર, એલઆઇબી શાખાના કિરણભાઈ, ચીખલી સરપંચ વિરલભાઈ પટેલ, ખૂંધ સરપંચ હર્ષદભાઈ સહીતનાની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી. જેમાં ગણેશ મંડળ અને ઇદે મિલાદના આયોજકોનેસંબોધતા ડીવાયએસપી-ભગિરથસિંહ ગોહિલે જરૂરી સૂચના આપતા જણાવ્‍યું હતું કે ગાંધીનગરના દહેગામ ખાતે થયેલી ઘટનાને ધ્‍યાને લઇ કોઈ અધતીટ ઘટના ન બને પોલીસ તંત્રને સહકાર આપવા, વિસર્જન સ્‍થળ ઉપર કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ ચીખલી કાવેરી નદી રિવફ્રન્‍ટ ઉપર ફાયર ફાઇટર અને બોટની વ્‍યવસ્‍થા રહેશે. સાથે ઇદે મિલાદના ઝુલુસનો પ્રસંગ શાંતિથી ઉજવાય અને કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે બાબતે તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. તેમજ ભારે અને મોટા વાહનો માટે જાહેરનામું બહાર પળાશે. અને કાયદો અને વ્‍યવસ્‍થાનો ભંગ થાય તેવા બનાવમાં સખત પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્‍ચારી હતી. જ્‍યારે ચીખલીના પીઆઇ-એન.એમ.આહીરે જણાવ્‍યુ હતું કે ગણેશ વિસર્જન સમયસર થાય, જે મંડળના મોટા ડીજે હોય તેમને ચીખલી ગામમાં પ્રવેશ મળશે નહીં, ગુલાલ કે અન્‍ય કોઈ ચીજવસ્‍તુ મંડળ શિવાય ઉડાડી શકાશે નહીં, ડીજેમાં કોઈની લાગણી ન દુભાઈ તે રીતે ગીતો વગાડવા, ચીખલી કાવેરી રિવરફ્રન્‍ટ ઉપર તરવૈયાને મૂર્તિ આપ્‍યા બાદ પાણીની અંદર ન જવુ તેમજ નાના પુલ ઉપરથી મોટી મૂર્તિ સાથે મંડળના 8-લોકોને જવાની છૂટ આપી પોલીસ તેમજ વહીવટી તંત્રને સહકાર આપવા જણાવ્‍યું હતું.
શાંતિ સમિતિની બેઠકમાં વિશ્વ હિન્‍દુ પરિષદના હર્ષદભાઈ,હિતેશભાઈ, મંગુભાઈ તળાવીયા, પરેશભાઈ પટેલ, ઝીલ કાયસ્‍થ, ઉમેશભાઈ પટેલ, મુસ્‍લિમ સમાજના શબ્‍બીરભાઈ પુનાવાલા, સૈયદ અકિલભાઈ (મહેફુઝ બાગ), હમીદભાઈ દભાડ, મકબુલ દભાડ, રફીક શેખ, અબ્‍દુલ મૂનાફ શેખ સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

Leave a Comment