April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: સરીગામ ભીલાડ વિસ્‍તારમાં શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા 14 મી સપ્‍ટેમ્‍બરનાં રોજ ભગવાન ચાર ભુજાજી રેવાડી યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યાત્રાનો પ્રારંભ સવારે 11.15કલાકે સરીગામ ખાતેથી કરવામાં આવ્‍યો હતો. જે પદયાત્રા ભીલાડથી પસાર થઈ ને.હા. નંબર 8 સુધી પહોંચ્‍યા બાદ ત્‍યાંથી વાહન મારફતે ચાર ભૂજાજી રેવાડી યાત્રા દમણ ગંગા નદી વાપી ખાતે પહોંચી હતી. જ્‍યાં ભગવાન ચાર ભુજાજીને સ્‍નાન કરાવી ભીલાડ ભંડારી હોલમાં પરત ફરી હતી. આ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત રાજસ્‍થાન પરિવારના સભ્‍યો વેશભૂજામાં સજજ થઈ ડી.જે.ના તાલે રાજસ્‍થાની નૃત્‍યમાં ઝૂમતા જોવા મળ્‍યા હતા. આ પાવન રેવાડી યાત્રા પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી દિપકભાઈ મિષાી, કારોબારી અધ્‍યક્ષશ્રી મહેશભાઈ આહીર, શ્રી રાકેશભાઈ રાય, શ્રી પ્રતીક રાય, શ્રી શેખરભાઈ આરેકર, શ્રી કીર્તિભાઈ રાય સહિત ખૂબ મોટી સંખ્‍યામાં સરીગામના આગેવાનો રાજસ્‍થાની ગ્રુપ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન શ્રી માધારામજી સુપુત્ર ભીમારામજી માલી મંજલ પરિવાર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

Leave a Comment