October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: સરીગામ ભીલાડ વિસ્‍તારમાં શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા 14 મી સપ્‍ટેમ્‍બરનાં રોજ ભગવાન ચાર ભુજાજી રેવાડી યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યાત્રાનો પ્રારંભ સવારે 11.15કલાકે સરીગામ ખાતેથી કરવામાં આવ્‍યો હતો. જે પદયાત્રા ભીલાડથી પસાર થઈ ને.હા. નંબર 8 સુધી પહોંચ્‍યા બાદ ત્‍યાંથી વાહન મારફતે ચાર ભૂજાજી રેવાડી યાત્રા દમણ ગંગા નદી વાપી ખાતે પહોંચી હતી. જ્‍યાં ભગવાન ચાર ભુજાજીને સ્‍નાન કરાવી ભીલાડ ભંડારી હોલમાં પરત ફરી હતી. આ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત રાજસ્‍થાન પરિવારના સભ્‍યો વેશભૂજામાં સજજ થઈ ડી.જે.ના તાલે રાજસ્‍થાની નૃત્‍યમાં ઝૂમતા જોવા મળ્‍યા હતા. આ પાવન રેવાડી યાત્રા પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી દિપકભાઈ મિષાી, કારોબારી અધ્‍યક્ષશ્રી મહેશભાઈ આહીર, શ્રી રાકેશભાઈ રાય, શ્રી પ્રતીક રાય, શ્રી શેખરભાઈ આરેકર, શ્રી કીર્તિભાઈ રાય સહિત ખૂબ મોટી સંખ્‍યામાં સરીગામના આગેવાનો રાજસ્‍થાની ગ્રુપ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન શ્રી માધારામજી સુપુત્ર ભીમારામજી માલી મંજલ પરિવાર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

ધરમપુરના હનુમતમાળ ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

Leave a Comment