October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: સરીગામ ભીલાડ વિસ્‍તારમાં શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા 14 મી સપ્‍ટેમ્‍બરનાં રોજ ભગવાન ચાર ભુજાજી રેવાડી યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યાત્રાનો પ્રારંભ સવારે 11.15કલાકે સરીગામ ખાતેથી કરવામાં આવ્‍યો હતો. જે પદયાત્રા ભીલાડથી પસાર થઈ ને.હા. નંબર 8 સુધી પહોંચ્‍યા બાદ ત્‍યાંથી વાહન મારફતે ચાર ભૂજાજી રેવાડી યાત્રા દમણ ગંગા નદી વાપી ખાતે પહોંચી હતી. જ્‍યાં ભગવાન ચાર ભુજાજીને સ્‍નાન કરાવી ભીલાડ ભંડારી હોલમાં પરત ફરી હતી. આ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત રાજસ્‍થાન પરિવારના સભ્‍યો વેશભૂજામાં સજજ થઈ ડી.જે.ના તાલે રાજસ્‍થાની નૃત્‍યમાં ઝૂમતા જોવા મળ્‍યા હતા. આ પાવન રેવાડી યાત્રા પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી દિપકભાઈ મિષાી, કારોબારી અધ્‍યક્ષશ્રી મહેશભાઈ આહીર, શ્રી રાકેશભાઈ રાય, શ્રી પ્રતીક રાય, શ્રી શેખરભાઈ આરેકર, શ્રી કીર્તિભાઈ રાય સહિત ખૂબ મોટી સંખ્‍યામાં સરીગામના આગેવાનો રાજસ્‍થાની ગ્રુપ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન શ્રી માધારામજી સુપુત્ર ભીમારામજી માલી મંજલ પરિવાર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

vartmanpravah

Leave a Comment