(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાનહ અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ગુણવતાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાર્થીને સર્વાંગી વિકાસ કાર્યક્રમનું શાળા સ્તરે આયોજન કરવામા આવેલ છે.
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય રાષ્ટ્રીય સેવા યોજનાનિર્દેશાલય નવી દીલ્હીના દિશાનિર્દેશમા દાનહ અને દમણ દીવ એનએસએસ એકમો દ્વારા વિવિધ શાળાઓમા આંતરરાષ્ટ્રીય યોગા દિવસના ઉપલક્ષમા યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરવામા આવ્યો હતો. બન્ને પ્રદેશના એકીકરણ બાદ એનએસએસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઉત્કળષ્ટ પ્રદર્શન કરવામા આવ્યું છે.
પ્રજાસતાક દિવસ પર્વની પરેડમા દીવની કુમારી સિદ્ધિ બારિયાને આખા ભારતવર્ષના એનએસએસ ટુકડીનું નેતળત્વ કરી પ્રદેશના વિદ્યાર્થીઓમા નવો જોશ ભર્યો હતો. કુ.સિદ્ધિને પ્રસાશકશ્રીના હસ્તે સન્માનિત પણ કરવામા આવી હતી. આવનાર સમયમાં રાષ્ટ્રીય સ્તરે એનએસએસના સ્વયંસેવક પોતાની ભાગીદારી દર્જ કરવા માટે કટિબદ્ધ છે.