October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

જાગૃત ભાવિક યુવાનોએ મૂર્તિઓ એકત્ર કરીને વિધિવત નદીમાં વિસર્જીત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં હાલમાં ધુમ ધામ આસ્‍થા પૂર્વક ગણેશ મહોત્‍સવ ચાલી રહ્યો છે તે વચ્‍ચે આસ્‍થાને ઠેસ પહોંચે તેવો બનાવ વલસાડમાં બન્‍યો છે. એક બંધ મકાનમાં કોઈ ઈસમ છ જેટલી ખંડિત ગણેશ મૂર્તિઓ નાખી જતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ધોબીતળાવ વિસ્‍તારમાં આવેલ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાન પાસે કોઈ ગણેશજીની છ જેટલી પ્રતિમાઓ નાકી ગયેલ. તેની જાણ ધીરે ધીરે ચારે તરફ ફેલાઈ હતી.અહીંના સ્‍થાનિક જતેશ્વર મહાદેવ મંડળના જાગૃત યુવાનોને થઈ હતી. યુવાનો સિટી પેલેસ એપાર્ટમેન્‍ટ દોડી ગયા હતા. તમામ મુર્તિઓ સાચવીને બહાર કાઢી હતી. ત્‍યારબાદ નદી કિનારે જઈને વિધિવત આસ્‍થા પૂર્વક મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કર્યું હતું તેમજ વેપારીઓ અને જાહેર રીતે જણાવેલ કે ખંડીત મૂર્તિઓ ફેંકી પાપ ના કરવુ જોઈએ તેનો સુયોગ્‍ય નિકાલ કરવો જોઈએ. લોકોની આસ્‍થાને ઠેસ પહોંચે તેવી કામગીરી કદાપિ નહી કરવી જોઈએ.

Related posts

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ પદે વિક્રમ હળપતિની કરાયેલી નિમણૂક

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્‍શન કંટ્રોલ રૂમ

vartmanpravah

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

Leave a Comment