Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામ સ્‍વરાજને મળી રહેલી નવી દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ જિલ્લાના કેટલાક પંચાયત ભવનોના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત વિધિ દરમિયાન સરપંચ શ્રી મુકેશ ગોસાવીની ઉપસ્‍થિતિમાં આજે સંપન્ન કરવામાં આવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્‍યા પ્રમાણે યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના બાંધકામની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. નવા અદ્યતન પંચાયત ભવનમાં ગામના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે પ્રકારની તકેદારી લેવામાં આવી છે. નવું ભવન ખુબ જ વહેલી તકે પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ પણ તેમણે પ્રગટ કર્યો હતો. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દેશના યશસ્‍વીપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ગ્રામ સ્‍વરાજ માટે કરવામાં આવી રહેલા ભગિરથ કાર્યો બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડાના આગેવાન શ્રી ફકીરભાઈ પટેલ, પટલારાના આગેવાન શ્રી સુભાષભાઈ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના શ્રી રવુભાઈ બારી, શ્રીમતી દીપિકાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment