October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામ સ્‍વરાજને મળી રહેલી નવી દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ જિલ્લાના કેટલાક પંચાયત ભવનોના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત વિધિ દરમિયાન સરપંચ શ્રી મુકેશ ગોસાવીની ઉપસ્‍થિતિમાં આજે સંપન્ન કરવામાં આવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્‍યા પ્રમાણે યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના બાંધકામની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. નવા અદ્યતન પંચાયત ભવનમાં ગામના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે પ્રકારની તકેદારી લેવામાં આવી છે. નવું ભવન ખુબ જ વહેલી તકે પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ પણ તેમણે પ્રગટ કર્યો હતો. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દેશના યશસ્‍વીપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ગ્રામ સ્‍વરાજ માટે કરવામાં આવી રહેલા ભગિરથ કાર્યો બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડાના આગેવાન શ્રી ફકીરભાઈ પટેલ, પટલારાના આગેવાન શ્રી સુભાષભાઈ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના શ્રી રવુભાઈ બારી, શ્રીમતી દીપિકાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

Leave a Comment