January 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

એજન્‍સીએ સાઈટ ઉપર કોઈ આડશ ઉભી નહી હોવાથી અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપીમાં અત્‍યારે રેલવે ઓવરબ્રિજ (આરઓબી) અને રેલવે અંડરબ્રિજ (આરયુબી)ની કન્‍સ્‍ટ્રકશન કામગીરી ચાલી રહી છે. મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે. હવે આ કામગીરી કરનારી કન્‍સ્‍ટ્રકશન કંપની લાપરવાહીને કારણે નાના મોટા અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. સોમવારે રાત્રે એક બાઈક ચાલક ફાટક પાસે અંડરબ્રિજના ખોદેલા ખાડામાં ખાબક્‍યોહતો. બાઈકને નુકશાન થયું હતું તેમજ ચાલક ઘાયલ થયો હયો. આ કામગીરીમાં વારંવાર અકસ્‍માતો સર્જાતા રહે છે.
સોમવારે રાત્રે બનેલા બનાવની વિગતો મુજબ વાપી જુના ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી માટે મોટા મોટા ખાડા ખોદેલા છે. જેની ઊંડાઈ 20 ફૂટ જેટલી છે. તેવા આ ખાડામાં રાત્રે મહારાષ્‍ટ્ર પાસીંગ બાઈકનો ચાલક અંધારામાં ખાડામાં ખાબક્‍યો હતો. ચાલકને માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ થતા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ પ્રોજેક્‍ટ પી.ડબલ્‍યુ.ડી.ની હસ્‍તક છે. જેની કન્‍સ્‍ટ્રકશન કામગીરી રચના કન્‍સ્‍ટ્રકશન કંપની કરી રહી છે. આ કંપનીમાં નોંધનીય બેદરકારી, લાપરવાહી જોવા મળી રહી છે. કામગીરીના ખાડાઓ ઉપર કોઈ આડશ ઉભી કરાઈ નથી તેથી અજાણતા અનેક અકસ્‍માત સર્જાતા રહે છે. સોમવારે તેવો વધુ એક અકસ્‍માત બન્‍યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્‍યાને રાખી કોન્‍ટ્રાક્‍ટરને છાવરતા અધિકારીઓ ત્‍વરીત કાર્યવાહી કરે તેવી વાપીજનોની પ્રબળ માંગણી છે.

Related posts

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

vartmanpravah

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

Leave a Comment