March 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

એજન્‍સીએ સાઈટ ઉપર કોઈ આડશ ઉભી નહી હોવાથી અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપીમાં અત્‍યારે રેલવે ઓવરબ્રિજ (આરઓબી) અને રેલવે અંડરબ્રિજ (આરયુબી)ની કન્‍સ્‍ટ્રકશન કામગીરી ચાલી રહી છે. મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે. હવે આ કામગીરી કરનારી કન્‍સ્‍ટ્રકશન કંપની લાપરવાહીને કારણે નાના મોટા અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. સોમવારે રાત્રે એક બાઈક ચાલક ફાટક પાસે અંડરબ્રિજના ખોદેલા ખાડામાં ખાબક્‍યોહતો. બાઈકને નુકશાન થયું હતું તેમજ ચાલક ઘાયલ થયો હયો. આ કામગીરીમાં વારંવાર અકસ્‍માતો સર્જાતા રહે છે.
સોમવારે રાત્રે બનેલા બનાવની વિગતો મુજબ વાપી જુના ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી માટે મોટા મોટા ખાડા ખોદેલા છે. જેની ઊંડાઈ 20 ફૂટ જેટલી છે. તેવા આ ખાડામાં રાત્રે મહારાષ્‍ટ્ર પાસીંગ બાઈકનો ચાલક અંધારામાં ખાડામાં ખાબક્‍યો હતો. ચાલકને માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ થતા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ પ્રોજેક્‍ટ પી.ડબલ્‍યુ.ડી.ની હસ્‍તક છે. જેની કન્‍સ્‍ટ્રકશન કામગીરી રચના કન્‍સ્‍ટ્રકશન કંપની કરી રહી છે. આ કંપનીમાં નોંધનીય બેદરકારી, લાપરવાહી જોવા મળી રહી છે. કામગીરીના ખાડાઓ ઉપર કોઈ આડશ ઉભી કરાઈ નથી તેથી અજાણતા અનેક અકસ્‍માત સર્જાતા રહે છે. સોમવારે તેવો વધુ એક અકસ્‍માત બન્‍યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્‍યાને રાખી કોન્‍ટ્રાક્‍ટરને છાવરતા અધિકારીઓ ત્‍વરીત કાર્યવાહી કરે તેવી વાપીજનોની પ્રબળ માંગણી છે.

Related posts

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

Leave a Comment