June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા વચનામૃતમ સભાખંડમાં સભાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ધ્રુવ ગ્રુપના શિક્ષકો દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રથમ શ્‍લોકો દ્વારા સભાની શરૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ સરસ કળષ્‍ણભજન રજૂ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને આગળ વધારતા રાજ્‍ય સરકાર દ્વારા દરેક શાળાઓમાં જનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું હોય જેને લઇ ધો.8 ની વિદ્યાર્થીની હીર ભાનુશાલી દ્વારા આદિવાસી સમાજની સંસ્‍કળતિ અંગે વક્‍તવ્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું. સાથે ધ્રુવ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનું આદિવાસી નૃત્‍ય રજૂ કર્યું હતું. જે બાદ સ્‍વામીજી દ્વારા બોધવચનો આપવામાં આવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે ભારતના સાંસ્‍કળતિક વારસાને જાળવવા અને રાષ્‍ટ્રીય ગૌરવ બહાદુરી અને ભારતીય મૂલ્‍યોને પ્રોત્‍સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયત્‍નોને તેમજ આદિવાસી સમુદાયના લોકો ભગવાન બિરસા મુંડાને સમર્પિત અનેક કાર્યક્રમો આયોજિતકરે છે અને પોતાની સંસ્‍કળતિ ધરોહરને આજે પણ સાચવી રાખી છે તેમજ આદિવાસી સમાજના સંઘર્ષ અને યોગદાનને યાદ કરવામાં આવ્‍યું હતું. જે બાદ સ્‍વામીજી દ્વારા સર્વે વિદ્યાર્થીઓને આર્શીવચનો પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

Leave a Comment