Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

ઢોલ, ત્રાસા, ડી.જે. શણગારેલ ટ્રેક્‍ટર, ગાડીઓમાં શ્રીજીને બિરાજમાન કરી વાપી, વલસાડ, ધરમપુરમાં ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.17: ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના શુભ મંગલ દિવસથી વલસાડ જિલ્લામાં સર્વત્ર સાર્વજનિક ગણેશ મહોત્‍સવનો શુભારંભ થયો હતો. 10 દિવસીય આ મહામહોત્‍સવનો આજે મંગળવારે અનંત ચૌદશે અંતિમ દશમો દિવસ હોવાથી જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શ્રીજી પ્રતિમાઓની ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી.
ગણેશ મહોત્‍સવ વિવિધ રીતે આસ્‍થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દોઢ દિવસીય, ત્રણ દિવસીય, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન કરાયું હતું. આજે અનંત ચૌદશ, ગણેશ ઉત્‍સવના અંતિમ દિન હોવાથી ગણેશ ભક્‍તોએ જિલ્લાભરમાં હજારો મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવા ભવ્‍ય વિસર્જન યાત્રાઓ ઠેર ઠેર યોજાઈ હતી. શણગારેલા ટ્રક, ટેમ્‍પા, ટ્રેક્‍ટર, ગાડીઓમાં શ્રીજી મૂર્તિઓને ભાવપૂર્વક બિરાજમાન કરીને હજારો ભાવિકોની ઉપસ્‍થિતિમાં શ્રધ્‍ધાપૂર્વક વિસર્જન યાત્રાઓ નિકળી હતી. ઢોલ, ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા કુદતા, રાસગરબા ગાતા ગાતા ગણેશ ભક્‍તો સેંકડોની સંખ્‍યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા. આરતી, પૂજા, અર્ચન કરી નદીઓના ઓવારેથી દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

Leave a Comment