July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

ઢોલ, ત્રાસા, ડી.જે. શણગારેલ ટ્રેક્‍ટર, ગાડીઓમાં શ્રીજીને બિરાજમાન કરી વાપી, વલસાડ, ધરમપુરમાં ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.17: ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના શુભ મંગલ દિવસથી વલસાડ જિલ્લામાં સર્વત્ર સાર્વજનિક ગણેશ મહોત્‍સવનો શુભારંભ થયો હતો. 10 દિવસીય આ મહામહોત્‍સવનો આજે મંગળવારે અનંત ચૌદશે અંતિમ દશમો દિવસ હોવાથી જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શ્રીજી પ્રતિમાઓની ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી.
ગણેશ મહોત્‍સવ વિવિધ રીતે આસ્‍થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દોઢ દિવસીય, ત્રણ દિવસીય, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન કરાયું હતું. આજે અનંત ચૌદશ, ગણેશ ઉત્‍સવના અંતિમ દિન હોવાથી ગણેશ ભક્‍તોએ જિલ્લાભરમાં હજારો મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવા ભવ્‍ય વિસર્જન યાત્રાઓ ઠેર ઠેર યોજાઈ હતી. શણગારેલા ટ્રક, ટેમ્‍પા, ટ્રેક્‍ટર, ગાડીઓમાં શ્રીજી મૂર્તિઓને ભાવપૂર્વક બિરાજમાન કરીને હજારો ભાવિકોની ઉપસ્‍થિતિમાં શ્રધ્‍ધાપૂર્વક વિસર્જન યાત્રાઓ નિકળી હતી. ઢોલ, ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા કુદતા, રાસગરબા ગાતા ગાતા ગણેશ ભક્‍તો સેંકડોની સંખ્‍યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા. આરતી, પૂજા, અર્ચન કરી નદીઓના ઓવારેથી દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

Related posts

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

રામાયણ ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાનો દેશભરમાં પ્રથમ પ્રયાસ વલસાડથી : 8 હજાર બાળકોએ પરીક્ષા આપી

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment