April 18, 2026
Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

તા.૫મીથી ૧૭મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’માં શિક્ષકોના યોગદાન અને સન્માનની લેવાનારી નોîધ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬
ભારત સરકાર દ્વારા તા.૫મી સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર સુધી શિક્ષકોના યોગદાન અને સન્માનમાં યોજાનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’ના ઉદ્ઘાટન સમારંભમાં આવતી કાલે સવારે ૧૧ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધશે. આ વર્ષના શિક્ષક પર્વનો વિષય ‘ગુણવત્તા અને સક્ષમ શાળા’: ભારતમાં શાળામાંથી શિક્ષણ રાખવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત સંબોધનને નિહાળવા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોને સામેલ કરાયા છે.
દાદરા નગર હવેલી ખાતે સેક્રેટરિઍટના કોન્ફરન્સ હોલમાં, દમણમાં વિદ્યુત ભવનના કોન્ફરન્સ હોલમાં અને દીવ ખાતે કલેક્ટોરેટના કોન્ફરન્સ હોલમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો અને ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

vartmanpravah

Leave a Comment