Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના નાહુલીમાં મરઘીનો શિકાર કરવા આવેલ ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૧: ઉમરગામ તાલુકા ના નાહુલી ગામ માં આવેલ ગોદડ ફળિયામાંથી રાત્રીના 2 વાગ્યે મરઘીના શિકાર માટે આવેલ 9 ફૂટ લાંબા અજગર નું લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન ના વર્ધમાન શાહ દ્વારા મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું,
પ્રાપ્ત માહિતી અનુસાર ગોદળ ફળિયામાં રહેતા અશોક પટેલની ઘર ની પાસે બનાવેલ મરઘીના પાંજરા ઉપર એક વિશાળકાય અજગર મરઘીના શિકાર માટે આવી ચઢ્યો હતો જેથી મરઘીનો અવાજ સાંભળી ઘર ના લોકો જાગી ગયા હતા અને પાંજરા ઉપર નજર કરતા એક વિશાળકાય સાંપ દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા બુમાં બૂમ કરતા આસપાસ ના લોકો પણ સ્થળ પાસે પહોંચી ગયા હતા, જોકે મોડી રાતે વાપી ની લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થાના સંસ્થાપક વર્ધમાન શાહ ને આ વિશે માહિતી આપતા તેઓ સ્થળે પહોંચી અજગર ને સુરક્ષિત રેસ્ક્યું કરી નજીક માં વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો

Related posts

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment