December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ભારત સરકારના યુવા વિભાગ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ અને એનએસએસ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ખાનવેલ ગુજરાતી મીડિયમ શાળા અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા સંચાલિત આરસેટી કેન્‍દ્રમાં સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍વચ્‍છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પ્રદેશના વિવિધ ગામોમાં સ્‍વચ્‍છતા જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સ્‍વચ્‍છતાનું મહત્‍વને જન જન સુધી પહોંચાડવું અને ગામડામાં કચરો સંગ્રહ અને નિકાલની ઉચિત વ્‍યવસ્‍થા કરવાનો છે.
આ કાર્યક્રમ દરમ્‍યાન દરેકે સ્‍વચ્‍છતાની શપથ લીધી અને ક્ષેત્રમાં સફાઈ અભિયાન ચલાવ્‍યું જે દરમ્‍યાન કચરો એકત્રિત કરવામાં આવેલ તેનો યોગ્‍ય નિકાલ પણ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનુ આયોજન નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. તેમણે આ અવસરે યુવાઓને સ્‍વચ્‍છતા અભિયાનમાં સક્રિય રૂપે ભાગ લેવા અને સમાજમાં સકારાત્‍મક બદલાવ લાવવા માટે પ્રેરિત કર્યા હતા અને દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આવનાર દિવસોમાં અન્‍ય ગામોમાં પણ સ્‍વચ્‍છતા અભિયાન ચાલું રહેશે. આઅવસરે ખાનવેલ શાળાના પ્રિન્‍સિપાલ હસમુખભાઈ પટેલ, શાળાનો સ્‍ટાફ સહિત એનએસએસના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

Leave a Comment