April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ભારત સરકારના યુવા વિભાગ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ અને એનએસએસ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ખાનવેલ ગુજરાતી મીડિયમ શાળા અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા સંચાલિત આરસેટી કેન્‍દ્રમાં સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍વચ્‍છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પ્રદેશના વિવિધ ગામોમાં સ્‍વચ્‍છતા જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સ્‍વચ્‍છતાનું મહત્‍વને જન જન સુધી પહોંચાડવું અને ગામડામાં કચરો સંગ્રહ અને નિકાલની ઉચિત વ્‍યવસ્‍થા કરવાનો છે.
આ કાર્યક્રમ દરમ્‍યાન દરેકે સ્‍વચ્‍છતાની શપથ લીધી અને ક્ષેત્રમાં સફાઈ અભિયાન ચલાવ્‍યું જે દરમ્‍યાન કચરો એકત્રિત કરવામાં આવેલ તેનો યોગ્‍ય નિકાલ પણ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનુ આયોજન નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. તેમણે આ અવસરે યુવાઓને સ્‍વચ્‍છતા અભિયાનમાં સક્રિય રૂપે ભાગ લેવા અને સમાજમાં સકારાત્‍મક બદલાવ લાવવા માટે પ્રેરિત કર્યા હતા અને દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આવનાર દિવસોમાં અન્‍ય ગામોમાં પણ સ્‍વચ્‍છતા અભિયાન ચાલું રહેશે. આઅવસરે ખાનવેલ શાળાના પ્રિન્‍સિપાલ હસમુખભાઈ પટેલ, શાળાનો સ્‍ટાફ સહિત એનએસએસના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

vartmanpravah

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

વાપીમાં નેશનલ હાઈવે પર સાનવી હ્યુન્‍ડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે યોજાયો

vartmanpravah

Leave a Comment