February 4, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ભારત સરકારના યુવા વિભાગ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ અને એનએસએસ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ખાનવેલ ગુજરાતી મીડિયમ શાળા અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા સંચાલિત આરસેટી કેન્‍દ્રમાં સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍વચ્‍છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પ્રદેશના વિવિધ ગામોમાં સ્‍વચ્‍છતા જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સ્‍વચ્‍છતાનું મહત્‍વને જન જન સુધી પહોંચાડવું અને ગામડામાં કચરો સંગ્રહ અને નિકાલની ઉચિત વ્‍યવસ્‍થા કરવાનો છે.
આ કાર્યક્રમ દરમ્‍યાન દરેકે સ્‍વચ્‍છતાની શપથ લીધી અને ક્ષેત્રમાં સફાઈ અભિયાન ચલાવ્‍યું જે દરમ્‍યાન કચરો એકત્રિત કરવામાં આવેલ તેનો યોગ્‍ય નિકાલ પણ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનુ આયોજન નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. તેમણે આ અવસરે યુવાઓને સ્‍વચ્‍છતા અભિયાનમાં સક્રિય રૂપે ભાગ લેવા અને સમાજમાં સકારાત્‍મક બદલાવ લાવવા માટે પ્રેરિત કર્યા હતા અને દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આવનાર દિવસોમાં અન્‍ય ગામોમાં પણ સ્‍વચ્‍છતા અભિયાન ચાલું રહેશે. આઅવસરે ખાનવેલ શાળાના પ્રિન્‍સિપાલ હસમુખભાઈ પટેલ, શાળાનો સ્‍ટાફ સહિત એનએસએસના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

vartmanpravah

Leave a Comment