April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલીના તમામ 20 જિલ્લાઓ ‘‘સ્‍વચ્‍છતા હી સેવા 2024 (SHS-2024)”, પ્રકળતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ, સંસ્‍કાર સ્‍વચ્‍છતા ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અનેગ્રામ પંચાયતના જાહેર માર્ગો પર ખાસ ‘સ્‍વચ્‍છતા પ્‍લાગીંગ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાન અંતર્ગત દાદરા અને નગર હવેલીની તમામ 20 ગ્રામ પંચાયતોના જિલ્લા પંચાયત સભ્‍યો, તમામ સરપંચો, વોર્ડ સભ્‍યો, ગ્રામ પંચાયતોના પંચાયત મંત્રીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગો પર ‘સ્‍વચ્‍છતા પ્‍લગિંગ મેરેથોન’નું આયોજન કર્યું હતું. જેમાં 265 શાળાના 9880 વિદ્યાર્થીઓ, 1300 શિક્ષકો અને 1156 સ્‍પર્ધકોએ સક્રિયપણે ભાગ લીધો હતો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયત મંત્રીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને સામાન્‍યજનતાએ આ સ્‍વચ્‍છતા આયોજન મેરેથોનમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અભિયાનનો મુખ્‍ય હેતુ લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવાનો અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાનો હતો.

Related posts

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

વાપી ખેરાની પેપર મિલમાં ભિષણ આગ લાગી

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment