November 3, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને ‘ગાંધી જયંતીની’ શુભકામના પાઠવી હતી. આછાર્ય ડો.રાજેશ્વરી, કાઉન્‍સિલર ભારતી બા જાડેજા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા મહાત્‍મા ગાંધી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગાંધીજીનીવિચારસરણીને અનુલક્ષીને અહિંસા અને સ્‍વચ્‍છતાનો પાઠ વિદ્યાર્થીઓ શીખે એ માટે માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્‍યું હતું. તેમજ ‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સ્‍વચ્‍છતા’ વિષય ઉપર સ્‍લોગનોની હરીફાઈ પણ કરવામાં આવી હતી. દેશ, સમાજમાં સ્‍વચ્‍છતા રહે તે માટે પ્રતિજ્ઞા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. સ્‍વચ્‍છતા કાર્યક્રમ હેઠળ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા શાળાનાં પ્રાંગણમાં સ્‍વચ્‍છતા પણ કરવામાં આવી હતી. આમ, ગાંધી જયંતીની ઉજવણી શાળામાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.

Related posts

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah

‘‘એજ્‍યુકેશન વર્લ્‍ડ ઈન્‍ડિયા સ્‍કૂલ રેન્‍કિંગ 2024-25 એવોર્ડ” સમારોહમાં લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલે સ્‍પેશિયલ મેરિટ એવોર્ડ મેળવીને બનાવ્‍યો રેકોર્ડ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

vartmanpravah

Leave a Comment